રશિયા અને યૂક્રેનની વચ્ચેનાં યુદ્ધને એકવર્ષ થયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યૂક્રેન શાંતિને લઈને વોટિંગ કરવામાં આવ્યું હતું અને આ વોટિંગમાં ભારતે રશિયા સાથેની પોતાની મિત્રતા ફરી એકવાર સાબિત કરી છે.
રશિયા અને યૂક્રેનની વચ્ચેનાં યુદ્ધને એકવર્ષ
યૂક્રેનમાં શાંતિ માટે યોજવામાં આવી વોટિંગ મહાસભા
ભારત-ચીન સહિત 32 દેશો વોટિંગથી રહ્યાં દૂર
રશિયા અને યૂક્રેનની વચ્ચેનાં યુદ્ધને એકવર્ષ થયું છે અને આ 365 દિવસો સુધી ભારત પોતાની જૂની રણનીતિ સાથી રશિયાની સાથે અડખમ ઊભું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થયેલી એક વોટિંગથી ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કંઈપણ થઈ જાય ભારત પોતાના મિત્ર દેશ રશિયાનો સાથ ક્યારેય નહીં છોડે. યૂક્રેનમાં શાંતિને કાયમ રાખવાનાં ઉદેશ્યથી મહાસભામાં એક પ્રસ્તાવ પર વોટિંગ થઈ હતી. ભારત એ 32 દેશોમાં શામેલ હતો જેઓ આ પ્રસ્તાવથી દૂર રહ્યાં હતાં. ભારતએ આ પહેલાં પણ ઘણીવાર વોટિંગનાં પ્રસ્તાવને નકાર્યું છે.
ચીન-ભારત સહિત 32 દેશો વોટિંગથી દૂર
ગુરુવારે કરવામાં આવેલી આ વોટિંગનો ઐતિહાસિક કરાર આપવામાં આવી રહ્યો છે. આ વોટિંગની મદદથી અમેરિકા અને યૂ.કે સહિત તમામ દેશોએ રશિયાનાં યૂક્રેન પર હુમલાની નિંદા કરી છે. મહાસભાની તરફથી માગ કરવામાં આવી હતી કે રશિયાની સેના તાત્કાલિક યૂક્રેન ખાલી કરીને પાછી જતી રહે. આ સાથે જ યૂક્રેનમાં સ્થાયી અને દીર્ધકાલીન શાંતિની પણ અપીલ કરવામાં આવી છે. 141 સદસ્યોએ આ પ્રસ્તાવનાં સમર્થનમાં વોટિંગ કરી જ્યારે ચીન-ભારત સહિત 32 દેશો આ વોટિંગથી દૂર રહ્યાં. પાકિસ્તાન અને ઈરાન પણ આ વોટિંગથી ગાયબ હતાં.
યુદ્ધનો અંત માત્ર વાતચીત થકી- ભારત
ભારતની સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોઝએ જણાવ્યું કે ભારત હંમેશા એ વાતનું સમર્થન કરતું આવ્યું છે કે યુદ્ધનાં અંતનો એકમાત્ર ઉપાય છે કૂટનીતિ અને વાર્તાલાપ. તેમણે કહ્યું કે 'ભારત દ્રઢતાથી બહુપક્ષવાદ માટે પ્રતિબદ્ધ છે અને તે સંયુક્ત રાષ્ટ્રનાં ચાર્ટરનાં સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે. અમે હંમેશા કૂટનીતિને એકમાત્ર વિકલ્પ માને છે.'