ઝીમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમ માટે એક ભારતીય મોટુ જોખમ સાબિત થવાનો છે. આ ભારતીય ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે અને હવે ઝીમ્બાબ્વેની ટીમ સાથે જોડાયો છે.
ઝીમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમ માટે આ ભારતીય જોખમ સાબિત થશે
આ ભારતીય હવે ઝીમ્બાબ્વેની ટીમ સાથે જોડાયો છે
વર્ષ 2018થી ઝીમ્બાબ્વે ક્રિકેટ સાથે જોડાયા છે
વન-ડે શ્રેણી 18 ઓગષ્ટથી શરૂ
ભારતીય ટીમ અને ઝીમ્બાબ્વેની વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી 18 ઓગષ્ટથી શરૂ થઇ રહી છે. આ શ્રેણી માટે કેએલ રાહુલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને અનેક યુવાન ખેલાડી સ્કવોડમાં સામેલ થયા છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ માટે એક ભારતીય મોટુ જોખમ સાબિત થવાનો છે.
ટીમ ઈન્ડિયાને આ ભારતીયથી જોખમ
ઝીમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટુ ઝંળુબતુ જોખમ ભારતના પૂર્વ ઓપનર બેટર લાલચંદ રાજપુત સાબિત થવાનો છે. લાલચંદ રાજપુત અત્યારે ઝીમ્બાબ્વે ટીમના ટેકનિકલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે, તો તેઓ વર્ષ 2018થી ઝીમ્બાબ્વે ક્રિકેટ સાથે જોડાયા છે, લાલચંદ રાજપુત પહેલા ઝીમ્બાબ્વે ટીમના હેડ કોચ બન્યા હતા. તેમણે અનેક ભારતીય ખેલાડીઓને પણ ટ્રેનિંગ આપી છે, જે અત્યારે ભારતીય ટીમમાં કાર્યરત છે. લાલચંદ રાજપુત પણ આ શ્રેણીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.
ભારત માટે સીરીઝ જીતવી સરળ નથી
લાલચંદ રાજપુતે હાલમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં આ સીરીઝને લઇને કહ્યું, ઝીમ્બાબ્વેની ટીમ માટે એક સારી તક છે કે તે ભારતીય ટીમ સામે રમે છે. બાંગ્લાદેશ સામે જીતથી ટીમનુ મનોબળ વધ્યું છે. હાલ આ મોમેન્ટમને ભારતીય ટીમ સામે ચાલુ રખાશે. ઝીમ્બાબ્વેની ટીમ ભારતને સરળતાથી જીતવા દેશે નહીં. ઝીમ્બાબ્વેની હાલની ટીમ સિનિયર અને યુવા ખેલાડીઓનુ મિશ્રણ છે, જો કે અમને સીનિયર ખેલાડીઓની કમી સતાવી રહી છે, જે ઈજાના કારણે તૈયાર થઇ રહ્યાં છે.