ભારતીય ટીમનાં ક્રિકેટ કૃણાલ પંડયાનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરિસ્થતિને જોતાં ભારત-શ્રીલંકા વચ્ચેની આજની બીજી T-20 મેચને હાલ પૂરતી મોકૂફ કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટર કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ
ભારત અને શ્રીલંકા વચ્ચેની T-20 સીરિઝ સ્થગિત
થોડા સમય પહેલા ઋષભ પંત પણ પોઝિટિવ થયો હતો
પંડયા કોરોના પોઝિટિવ
ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાનાં પ્રવાસ પર છે અને ત્યાં ભારતીય ટીમનાં ક્રિકેટ કૃણાલ પંડયાનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરિસ્થતિને જોતાં ભારત-શ્રીલંકા વચ્ચેની આજની બીજી T-20 મેચને હાલ પૂરતી મોકૂફ કરવામાં આવી છે. હાલમાં ટીમ ઈન્ડિયાનાં બધા જ ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
શ્રીલંકામાં સીરિઝ સ્થગિત
નોંધનીય છે કે ભારતની બે ટીમો જુદા જુદા દેશમાં અત્યારે મેચ રમી રહી છે, એક ટીમ ઈંગ્લેન્ડ જ્યારે બીજી ટીમ શ્રીલંકામાં છે. શ્રીલંકામાં પહેલા ભારતીય ટીમે વન ડે સીરિઝ પર કબજો મેળવ્યો હતો જે બાદ ટી 20 સીરિઝની શરૂઆત થઈ હતી. જોકે હવે કૃણાલ પંડયા પોઝિટિવ આવતા આખી સીરિઝને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અને સૂત્રો અનુસાર દરેક ખેલાડીનાં સ્વાસ્થ્યને લઈને તપાસ ચાલુ કરી જ દેવામાં આવી છે.
પંતને પણ થયો હતો કોરોના
આ સિવાય ભારતીય ટીમનાં બે ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસ દમરિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જેમાં ઋષભ પંત હાલમાં જ કોરોના વાયરસને મ્હાત આપીને પરત આવ્યા છે.
ટીમ ઈન્ડિયાનો શ્રીલંકામાં દબદબો
ભારત-શ્રીલંકાની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પર્ફોમન્સ કરતા 38 રને શ્રીલંકાને હરાવ્યું હતું. આ જીત સાથે ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં 1-0થી આગળ છે. અગાઉ ટીમ ઈન્ડિયા વન-ડે સીરિઝ પણ 2-1થી પોતાના નામે કરી હતી.