ભારત અને પાકિસ્તાન વચ્ચે U19 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમાઈ રહી છે જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો.ભારત આ મેચ જીતી જાય તો સાતમીવખત ફાઈનલમાં પહોંચાવની તક મળશે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર્સ ભારતના બેટ્સમેન માટે સમસ્યા ઉભી કરી શકે છે. પાકિસ્તાનની ટીમ 172 રન પર ઓલઆઉટ થઇ ગઈ હતી.
ભારત પાસે સાતમી વખત ફાઈનલમાં જવાની તક
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચમાં ખેલાડીઓ ભારે દબાણ
પાકિસ્તાનના ફાસ્ટ બોલર્સ ભારત માટે ઉભી કરી શકે છે સમસ્યા
સેમીફાઈનલમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાનની ટીમ 172 રન પર ઓલઆઉટ થઇ ગઈ છે ત્યારે હવે ભારતે વર્લ્ડ ચેમ્પિયન બનવા ફાઈનલમાં પહોંચવા માટે 173 રન બનાવવા રહેશે. પહેલા સેમીફાઈનલમાં ભારતીય બોલર્સ પાકિસ્તાનના બેટ્સમેન પર ભારે પડતા સાબિત થયા છે. પાકિસ્તાન ટીમના કેપ્ટન રોહેલ નજીર 62 રન બનાવી આઉટ થયા હતા. જયારે રવિ બિશ્નોઈએ અબ્બાસ આફ્રીદીને એલબીડબ્લ્યુ કરીને સાતમી સફળતા અપાવી હતી. આ પહેલાં કાર્તિક ત્યાગીએ ઈરફાન ખાનને બોલ્ડ કર્યો હતો.
આંકડાઓની વાત કરીએ તો ભારતીય જુનિયર ટીમ પાકિસ્તાન પર ભારે પડી રહી છે. ભારતે આ જ ટીમને સપ્ટેમ્બરમાં એશિયા કપમાં હરાવી હતી. 2018માં ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 203 રનથી હરાવ્યું હતું. જોકે પાકિસ્તાનન ટીમ પણ ખુબ મજબુત છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર્સ અબ્બાસ આફ્રીદી, મોહમ્મદ આમીર ખાન અને તાહિર હુસૈન ભારતીય બેસ્ટમેન પર ભારે પડી શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અન્ડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ ચાલી રહી છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમ અત્યાર સુધીની ટૂર્નામેન્ટમાં વિજયી રહીને સેમીફાઈનલમાં પહોંચી છે. ભારત ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યું છે અને સાતમી વાર ફાઈનલમાં પહોચવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. સાતમી વાર ભારત પાસે ફાઈનલમાં પહોંચવાની તક છે.
બંને ટીમ સેમીફાઈનલ સુધી એક પણ મેચ હારી નથી. ભારતે ક્વોર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. નોંધનીય છે જયારે જયારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે તેનું મહત્વ વધી જાય છે. ખેલાડીઓ પર દબાણ પણ વધુ જોવા મળે છે. ભારત માટે યશસ્વી જયસ્વાલ બેટિંગનું કેન્દ્ર રહ્યા છે. તેમણે ચાર મેચમાં 3 અર્ધશતક કર્યા છે. જયારે બોલિંગમાં કાર્તિક ત્યાગીએ ખુબ સારું પ્રદર્શન કર્યું છે.