જો કોઇને ઇન્કમટેક્સ વિભાગમાંથી તપાસ માટેની નોટીસ મળે છે તો ત્યાંના સ્થાનિક અઘિકારીને વ્યક્તિગત રીતે મળવાની જરૂર નથી. તે વ્યક્તિ ઇન્કટેક્સ વિભાગનીનવી યોજના હેઠળ તેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
તમારુ કામ ઇન્કમટેક્સ વિભાગે કર્યુ સરળ
ઇન્કમટેક્સ તપાસ માટે વ્યક્તિગત મળવાની જરૂર નહી
નવી સ્કિમ હેઠળ ઓનલાઇન થશે કામ
ઇન્કમટેક્સ વિભાગે કહ્યું કે, જો કોઇ કરદાતાને તપાસની નોટીસ મળે છે તો તેને ગભરાવવાની જરા પણ જરૂર નથી, સંપર્ક રહિત વ્યવસ્થા તમારી મદદ કરશે. તમારે તમારી ઇન્કમ અથવા કર સમજાવવા માટે અધિકારીને વ્યક્તિગત મળવાની જરૂર નથી. વ્યક્તિ તેના તમામ જવાબ ઇન્ટરનેટની મદદથી વૅબસાઇટ પર જમા કરાવી શકશે.
વિશેષ ટીમ
દેશના જુદા જુદા શહેરોમાં કાર્યરત આ જવાબો માટે આવકવેરા વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. સંપર્ક મુક્ત કર આકારણી સિસ્ટમ યોગ્ય આકારણીની ખાતરી કરશે. આ સુવિધાએ પહેલાથી જ લગભગ 58,000 કરદાતાઓને મદદ કરી છે. આ યોજના ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં, વિભાગે આ યોજના હેઠળ 7,116 કેસનો નિકાલ કર્યો છે.
સંપર્ક રહિત કર આકારણી માટે બનાવવામાં આવેલી વિશેષ ટીમોની વ્યક્તિગત ઓળખ નથી. દેશભરમાં રહેલી આ ટીમોને કોઈપણ સ્થાન સંબંધિત કેસોની આકારણી કરવાનું કામ સોંપવામાં આવી શકે છે, એટલે કે, દક્ષિણ ભારતનો એક અધિકારી ઓનલાઇન પ્રાપ્ત દસ્તાવેજોના આધારે ઉત્તર ભારતમાં કેસની આકારણી પણ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સુવિધા હેઠળ 58,319 કેસ આ વિશેષ ટીમોને આકારણી માટે સોંપવામાં આવ્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગયા વર્ષે 5 જુલાઇએ બજેટ ભાષણમાં સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી.