એક મીડિયા રીપોર્ટ અનુસાર રવિવારે સવારે આવકવેરા વિભાગે અક્ષય કુમારને સન્માન પત્રથી સન્માનિત કર્યા છે
આજે આવકવેરા વિભાગે અક્ષય કુમારને સન્માન પત્રથી સન્માનિત કર્યા
ભારતના સૌથી વધુ ચૂકવતા કરદાતાઓની યાદીમાં સ્થાન મળ્યું
એક મીડિયા રીપોર્ટ અનુસાર રવિવારે સવારે આવકવેરા વિભાગે અક્ષય કુમારને સન્માન પત્રથી સન્માનિત કર્યા છે અને તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ કરદાતાઓમાંના એક તરીકે ઓળખાવ્યા છે.
The Income Tax Department has felicitated #AkshayKumar with a Samman Patra and termed him one of the highest tax payers from the Hindi film industry. Read more. https://t.co/q92fS1ioMx
જ્યારે અભિનેતા ટીનુ દેસાઈ સાથે અક્ષય કુમાર આગામી ફિલ્મ માટે યુકેમાં શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે તેની ટીમને સન્માન પત્ર મળ્યું હતું. અક્ષયને આ સન્માન આપવામાં આવ્યું હોય તેવો આ પહેલો કિસ્સો નથી
EXCLUSIVE: #AkshayKumar receives a Samman Patra from Income Tax department - Termed highest tax payer again in 2022 👑!
કારણ કે છેલ્લા 5 વર્ષોમાં અભિનેતા સતત ભારતના સૌથી વધુ કર ચૂકવતા કરદાતાઓમાં સામેલ છે. "તેમની પાસે આજે સૌથી વધુ ફિલ્મો છે, તેમજ એન્ડોર્સમેન્ટની દુનિયા પર રાજ કરે છે. ભારતના સૌથી વધુ ચૂકવતા કરદાતાઓની યાદીમાં સ્થાન મેળવવું તેના માટે કોઈ આશ્ચર્યની વાત નથી," એવું એક સૂત્રએ દ્વારા જાણવા મળ્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય હાલમાં યુકેમાં જસવંત સિંહ ગિલની બાયોપિક માટે શૂટિંગ કરી રહ્યાં છે. તે ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં ભારત પરત ફરશે અને તેમની આગામી ફિલ્મ રક્ષા બંધનના પ્રમોશનની શરૂઆત કરશે. ફિલ્મ રક્ષા બંધન 11 ઓગસ્ટ, 2022 ના રોજ રિલીઝ થવાની છે. આવનાર ફિલ્મોની વાટ કરીએ તો અક્ષય હાલ ઘણાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે જેમાં રામ સેતુ, સેલ્ફી અને ઓહ માય ગોડ 2નો સમાવેશ થાય છે. જવંત સિંહ ગિલની બાયોપિક પછી અક્ષય ટૂંક સમયમાં બીજા પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં મુદસ્સર અઝીઝ સાથેની કોમેડી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં નામની ફિલ્મ શામેલ છે.