ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 24 લાખ કરદાતાઓને 88,652 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે. આમાંથી લાખો લોકોના ખાતામાં અત્યાર સુધી ઇન્કમટેક્સના રિફંડની રકમ પહોંચી ગઈ છે અથવા તે આગામી કેટલાક દિવસોમાં પહોંચી શકે છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈટી રિફંડ મેળવેલા 24 લાખ લોકોમાંથી 23 લાખ પર્સનલ ઇન્કમ ટેક્સ ભરનારા છે, જ્યારે 1.58 લાખ રિફંડ કોર્પોરેટ ટેક્સના છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં 24.64 લાખ કરદાતાઓને 88,652 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે.
આ રકમ 1 એપ્રિલ, 2020 થી અત્યાર સુધીમાં જારી કરવામાં આવી છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ દ્વારા 23,05,726 પર્સનલ ટેક્સ પેયર્સને રૂ.28,180 કરોડનું ઇન્કમ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે. આ સિવાય 1,58,280 કોર્પોરેટ કંપનીઓને 60,472 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે. જો કે, હજી ઘણા એવા લોકો છે કે જેઓ આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છે. ચાલો જાણીએ, તમે તમારા આવકવેરા રિફંડનું સ્ટેટસ કેવી રીતે ચકાસી શકો છો…
અહીં તમારે પાન નંબર દાખલ કરવો પડશે. આ પછી, તમારે નીચે એસેસમેન્ટ યર પસંદ કરવું પડશે. હવે તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે. આ પછી પ્રોસીડ પણ ક્લિક કરવાથી સ્ટેટસ આવી જશે.
જો કોઈ ખામી છે જેના કારણે રિફંડની પ્રોસેસ થઇ નથી, તો તે પણ સબમિટ કરવામાં આવશે. જેને તમે દૂર કરી શકો છો અને તે પછી રિફંડ પ્રક્રિયા ફરીથી શરૂ થશે અને તમારા ખાતામાં પૈસા આવશે.
નોંધનીય છે કે કોરોના સંકટને પહોંચી વળવા લોકડાઉન લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે રૂ .5 લાખ સુધીની ઈન્ક્મટેક્સ રિફંડ તાત્કાલિક જારી કરવામાં આવે. સરકારના આ આદેશને કારણે લોકોને ઝડપથી રિફંડ મળ્યું છે. લોકડાઉનને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.