ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામો આવી ગયા છે. નવી સરકાર થોડા દિવસોમાં શપથ લેવાની છે, પરંતુ શું તમે જાણો છો કે આ વખતે યુપીના ડેપ્યુટી સીએમ કોણ હશે.
યુપીમાં ડેપ્યુટી CMના પદ માટે બે નામોની ચર્ચા
ડેપ્યુટી CMના બેબીરાની મૌર્યનું નસીબ ખુલી શકે છે
હાલના ડેપ્યુટી CM દાવોઓ નબળો પડ્યાં
યુપીમાં કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માને ફરી યોગી કેબિનેટમાં સ્થાન મળશે કે પછી તેમના સ્થાને બે નવા ચહેરાની શોધ ચાલી રહી છે. ભાજપના હાઈકમાન્ડે પણ આ અંગે વિચારવાનું શરૂ કરી દીધું છે. યુપીમાં ભાજપની જોરદાર જીત બાદ બે એવા ચહેરા સામે આવ્યા છે.જેમને યોગી કેબિનેટમાં ડેપ્યુટી CM તરીકે સ્થાન મળી શકે છે.
યુપીમાં ડેપ્યુટી CMના પદ માટે સ્વતંત્રદેવ સિંહ રેસમાં છે
UPમાં જે રીતે ભાજપે જંગી જીત મેળવી છે તે જોતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહનું કદ વધવાનું ચોક્કસ છે. હવે સવાલ એ છે કે યોગી કેબિનેટમાં તેમને સ્થાન મળશે તો કયા સ્વરૂપમાં? ભાજપના સૂત્રોનો દાવો છે કે પ્રદેશ અધ્યક્ષ હોવાના કારણે સ્વતંત્રદેવ સિંહને ડેપ્યુટી CM તરીકે મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. એક તો સ્વતંત્રદેવ સિંહ ઓબીસીનો ચહેરો છે. અને બીજી બાજુ BJPના પ્રદેશ અધ્યક્ષ છે. પાછલા કેટલાક સમીકરણો પર ધ્યાન આપીએ તો એક દમ સ્પષ્ટ છે કે, 2017માં BJPની સરકાર બની હતી. ત્યારે કેશવ મોર્ય BJPના પ્રદેશ અધ્યક્ષ હતાં. ત્યારે BJPને પ્રચંડ જીત નું ઈનામ તેમને મળ્યું હતું. તેમણે એક ઓબીસી ચેહેરાના રૂપે સરકારમાં જગ્યા આપી હતી. તેવી જ સ્થિતી સ્વતંત્રદેવ સાથ રિપિટ કરવામાં આવી શકે છે
ડેપ્યુટી CMના બેબીરાની મૌર્યનું નસીબ ખુલી શકે છે
યુપીના આગ્રાથી ચૂંટણી જીતનાર બેબીરાની મૌર્ય પણ યુપીના ડેપ્યુટી CM તરીકે સરકારમાં દેખાઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડના રાજ્યપાલ બેબીરાની મૌર્યને રણનીતિ તરીકે યુપી લાવવામાં આવ્યા હતા. તેમને યુપીમાં લાવ્યા બાદ તેમને બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને બાદમાં ભાજપ દ્વારા તેમને દલિત ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. બેબીરાની મૌર્ય પણ એ જ જાટવ સમુદાયમાંથી આવે છે. ભાજપની વ્યૂહરચના બેબીરાનીને દલિત ચહેરા તરીકે રજૂ કરીને માયાવતીની કોર વોટ બેંકમાં ખાડો પાડવાનો છે. આ વખતના પરિણામો દર્શાવે છે કે ભાજપે દલિત વોટબેંકમાં સારો એવો ખાડો પાડ્યો છે. તેથી, 2024ની ચૂંટણી પહેલા, બેબીરાનીને ડેપ્યુટી CM તરીકે સરકારમાં સામેલ કરી શકાય છે. આમ કરીને ભાજપ સરળતાથી જાટવ અને ખાસ કરીને દલિત સમાજ સુધી પહોંચી શકે છે.
વર્તમાન ડેપ્યુટી CM ડૉ દિનેશ શર્મા અને કેશવ મૌર્યનો દાવો નબળો પડ્યો
હાલમાં યોગી સરકારમાં બે ડેપ્યુટી CM કામ કરી રહ્યા છે. એક કેશવ મૌર્ય અને બીજા ડૉક્ટર દિનેશ શર્મા. શર્માને યુપીમાં બ્રાહ્મણ ચહેરા તરીકે સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા 5 વર્ષના કામ પર નજર કરીએ તો સંસ્થા સાથેનો પ્રતિસાદ તેમના વિશે સારો નથી. લોકોમાં તેમના વિશે નકારાત્મક છબી બનાવવામાં આવી છે. એટલા માટે નવા કેબિનેટમાં તેમના નામ પર વિચાર કરવામાં આવે તેવી શક્યતા ઘણી ઓછી છે. એ જ રીતે બીજા ડેપ્યુટી CMનો દાવો પણ ખોટો પડી ગયો છે. કેશવ મૌર્ય મોટા નેતા છે, આવી સ્થિતિમાં ભાજપ તેમના માટે વિકલ્પ શોધીને તેમને રાજ્યસભામાં મોકલી શકે છે. ત્યાં રહીને તેઓ પોતાના સમાજનું પ્રતિનિધિત્વ પણ કરી શકે છે.