બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In these 6 wards of Ahmedabad, AMC acted as per the guidelines of Corona
ADVERTISEMENT
અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે એકશન લેવાઈ રહી છે. AMCએ નિયમ ભંગ કરાનારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી છે. જેમાં થલતેજ, જોધપુર, મણિનગર, પાલડીમાં કાર્યવાહી કરાઈ છે. તો આ સાથે નારણપુરા,અંકુર ચાર રસ્તા અને મણિનગર વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ચૂંટણી દરમિયાન અને બાદ પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં જાણે કોરોના ન હોય તેવી રીતે લોકો અને વેપાર ધંધા ચાલી રહ્યા છે. તો તંત્ર પણ એકાએક નિંદરમાંથી જાગ્યું હોઈ તેવી રીતે, કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ રાતે હાથધરી સરપ્રાઇઝ એકશનમાં આવી છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે.

ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 482 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT