લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં નવા ગઠબંધનની કવાયત્ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને શિવસેનાની મિત્રતા એક તરફ તૂટવાના આરે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ-NCP ગઠબંધને BSP માટે દરવાજા ખોલી દીધા છે. મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા NCP અધ્યક્ષ શરદ પવારે મજબૂત ગઠબંધન દ્વારા ભાજપને મ્હાત આપવાનો રોડમેપ તૈયાર કરી લીધો છે.
આ રોડમેપ દ્વારા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP ગઠબંધનમાં BSP માટે માર્ગ ખુલ્લો થઈ ગયો છે. મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં BSPએ એક પણ બેઠક પર જીત મેળવી ન હતી. જોકો BSPને મહારાષ્ટ્રમાં 11 લાખ 91 હજારથી વધુ વોટ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં 12 ટકા દલિત મતદાર છે. અને વિદર્ભની રાજનીતિમાં દલિત મોટુ ફેક્ટર છે. વિદર્ભમાં લોકસભાની 11 બેઠક છે.
જો કોંગ્રેસ NCP અને BSP ગઠબંધન મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી લડે તો ભાજપનો ખેલ બગાડી શકો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014માં 23 બેઠક પર વિજય મેળવ્યો હતો.જ્યારે શિવસેનાના ફાળે 18 બેઠક આવી હતી. ત્યારે શરદ પવારે કોંગ્રેસ-NCP ગઠબંધનમાં BSPને આમંત્રણ આપીને ભાજપ અને શિવસેનાનો ખેલ બગાડવા માગે છે. ત્યારે આ મામલે હજુ સુધી બહુજન સમાજવાદી પાર્ટી આ મુદ્દે ચુપ છે.