બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / In the last 5 years 20,310 children were reported as malnourished in this district of Gujarat

ચોંકાવનારી બાબત / બાપ રે! છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતના આ જિલ્લામાં 20,310 બાળકો કુપોષિત! દર વર્ષે થાય છે કરોડોનો ખર્ચ

Malay

Last Updated: 02:22 PM, 3 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુપોષણ ઘટાડાવા સરકારની અનેક યોજનાઓ વચ્ચે રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20,310 કુપોષિત બાળકો નોંધાયા છે.

  • રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો
  • ડિસેમ્બર 2022 સુધીમાં નોંધાયા 3303 કુપોષિત બાળકો
  • છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયા 20,310 કુપોષિત બાળકો 

દેશભરમાં ગુજરાતને સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કમનસીબે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20,310 કુપોષિત બાળકો નોંધાયા છે. આ માહિતી આઈસીડીએસ શાખામાંથી મળી છે. 

પ્રતિકાત્મક તસવીર

સૌથી વધુ કુપોષિત બાળકો નોંધાયા જેતપુર તાલુકામાં 
રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે તેમાંથી 1523 બાળકો અપગ્રેડ પણ થયા છે. આઈસીડીએસ શાખામાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો જેતપુર તાલુકામાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કુપોષિત બાળકો વીંછિયા તાલુકામાં નોંધાયા છે. 

સૌથી ઓછા વીંછિયામાં નોંધાયા
જેતપુર તાલુકામાં 825, જસદણ તાલુકામાં 444, કોટડાસાંગાણીમાં 408 અને વીંછિયા તાલુકામાં 93 કુપોષિત નોંધાયા છે. કુપોષિત બાળકોની સંખ્યા વધતા જિલ્લા આરોગ્ય વિભાગની પણ ચિંતામાં વધારો થયો છે.

પ્રતિકાત્મક તસવીર

કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો
રાજ્ય સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્ય સરકાર, ICDS શાખા અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા મહેનત કરવામાં આવે છે. છતાં કુપોષિતોની સંખ્યામાં ઘટાડો થતો નઓથી.  

કુપોષણ એટલે શું?
- ઉંમર પ્રમાણે ઓછું વજન ધરાવતા બાળકોને કુપોષિત કહેવાય છે.  
- બાળકોમાં પોષક તત્ત્વો અને લોહીની ખામીને કુપોષણની વ્યાખ્યામાં ગણવામાં આવે છે.
- કુપોષણનું મુખ્ય કારણ યોગ્ય ખોરાક ન મળવો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ