રાજકોટમાં H3N2 વાયરસને લઇ સિવિલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.તબીબોને H1N1ની રસી આપવાની તૈયારી સાથે સિવિલમાં OPD અને આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.
રાજકોટના તબીબોને H1N1ની રસી આપવાની તૈયારી
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફ્લૂના કેસમાં 30થી 40 ટકાનો વધારો થયો
ફ્લૂના કેસમાં વધારો થતા તબીબોને H1N1 ફલૂની રસી આપવામાં આવશે
હાલ રાજ્યમાં કોરોના કેસોમાં વધારાની સ્થિતિ વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં H3N2ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટમાં H3N2 ફ્લૂના કેસને લઇ તબીબોને રસી આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટના તબીબોને H1N1ની રસી આપવાની તૈયારી પણ આરંભી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફ્લૂના કેસમાં 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. આથી ફ્લૂના કેસમાં વધારો થતા તબીબોને રક્ષણ આપવા માટે H1N1 ફલૂની રસી આપવા નિણર્ય કરાયો છે. H3N2 વાયરસને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ અંગે સિવિલમાં OPD અને આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. બીજી બાજુ અગમચેતી અને સંભવિત ખતરાને ખાળવા માટે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા 500 ટેસ્ટીંગ કીટની પણ માગ કરવામાં આવી છે.
છીંક આવે તો રૂમાલ રાખવો
બીજી બાજુ એઈમ્સનાં ડાયરેકટરે જણાવ્યું હતું કે H3N2 જે વાયરસ છે ઈન્ફલ્યુએન્ઝા એ વાયરસનો વેરિએન્ટ છે. જેમ કે તમે જોયું હશે કે 2019-20 માં H1N1 સ્વાઈન ફ્લુ વાયરલ આવ્યો હતો. પરંતું હવે આ વાયરસ જે છે જે સીઝન ટુ સીઝન બહાર આવી રહ્યા છે. ત્યારે જો તમને કોઈ નવો કોઈ વાયરસ તમને ઈન્ફેક્શન કરે ત્યારે તમારામાં સીમટમ્ટ વધારે આવશે. પરંતું જો જૂનો વાયરલ તમને ઈન્ફેક્શન કરે તો તમે બે દિવસમાં સાજા થઈ જશો. હાલમાં કોરોનાંનાં કેસ પણ વધી રહ્યા છે. ત્યારે વાયરસ તો માણસ, પક્ષી, પશુ તમામમાં રહેલા હોય છે. ત્યારે આ વાયરસ જ્યારે બીજી બોડીમાં જાય છે. ત્યારે નાના મોટા કેસ સીઝનલ આવતા રહે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તેઓએ સાવચેતી રાખવી જરૂરી છે. જેમાં તેઓએ ડીસ્ટન્સ રાખવું, ખાંસી કે છીંક આવે તો રૂમાલ રાખવો જોઈએ.
સીકે બિરલા હોસ્પિટલ, ગુડગાંવના ક્રિટિકલ કેર અને પલ્મોનોલોજીના વડા ડો. કુલદીપ કુમાર ગ્રોવરે જણાવ્યું હતું કે, કોવિડ -19 અને H3N2 વાયરસ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. કોઈપણ વાયરસની રસી તે વાયરસની પ્રકૃતિ, ફેલાવાની આવર્તન વગેરેના આધારે બનાવવામાં આવે છે. કોવિડ-19 અને H3N2 વાયરસની પ્રકૃતિ અને આવર્તન અલગ છે તેથી કોવિડ રસી આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામે રક્ષણ કરવામાં મદદ કરશે નહીં. જો કોઈ વાયરસ માટે ચોક્કસ રસી બનાવવામાં આવે છે, તો તે વાયરસ અનુસાર રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે. મિશ્રાએ કહ્યું, આપણે દેશમાં જે વાયરસ ફેલાતા જોઈ રહ્યા છીએ તે નવા લક્ષણો સાથેનો સામાન્ય ફ્લૂ છે જેના કારણે તે લાંબા સમય સુધી ચાલુ રહે છે.
માસ્ક ફલૂના ફેલાવાને અટકાવી શકે
કોવિડ -19 વાયરસથી વિપરીત તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. પરંતુ જો તમને લક્ષણો લાગે છે તો ચોક્કસપણે તેનું પરીક્ષણ કરો. આ માટે તમામ આરોગ્ય અધિકારીઓએ તેનું નિરીક્ષણ કરવું જોઈએ. રાકેશ મિશ્રા વધુમાં કહે છે, અન્ય કોઈપણ વાયરસની જેમ H3N2 વાયરસથી બચવા માટે યોગ્ય સાવચેતી રાખો, માસ્ક લગાવો, હાથ સાફ રાખો અને સ્પર્શ કરવાનું ટાળો. ચેપ ટાળવા માટે વારંવાર ચહેરો-આંખો પર વારંવાર હાથ ન ફેરવો, લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. ફેસ માસ્ક ફલૂના ફેલાવાને અટકાવી શકે છે અને હાનિકારક કણોને શરીરમાં પ્રવેશતા પણ રોકી શકે છે તેથી માસ્ક પહેરો.