સંયુકત્ રાષ્ટ્ર જનરલ એસેમ્બલી (UNGA)માં ચીની વિદેશ મંત્રી વાંગ યી દ્વારા જમ્મૂ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે ચીનને સ્પષ્ટ કહ્યું કે, ચીને ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સમ્માન કરવું જોઇએ.
UNGAમાં ચીને ઉઠાવ્યા જમ્મૂ કાશ્મીર મુદ્દો
ભારતનો ચીન પર પાક કબજા વાળા પીઓકેની સ્થિતિ બદલવાના પ્રયાસનો આરોપ
ભારતે કહ્યું - જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે
ભારત તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું, 'ચીને ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સમ્માન કરવું જોઇએ કેમકે જમ્મૂ અને કાશ્મીર પૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે.' તેની સાથે જ ભારતે ચીન પર આરોપ લગાવતા કહ્યું કે તે પાકિસ્તાનમાં બની રહેલા આર્થિક કોરિડોર દ્વારા પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (P0K)ની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.
નોંધનીય છે કે, ચીન પોતાના પશ્ચિમી શહેર કાશ્ગરને PoK થઇને ગ્વાદર બંદરથી જોડવા માટે 3000 કિલોમીટર લાંબો આર્થિક કોરિડોરનું નિર્માણ કરી રહ્યું છે. આ કોરિડોરની કિંમત 50 અરબ ડોલર બતાવાઇ રહ્યી છે.
UNGAમાં સામાન્ય નિવેદન દરમિયાન ચીની વિદેશ મંત્રીએ કાશ્મીર મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય સમજુતી અનુસાર શાંતિપૂર્વક ઉકેલ લાવવો જોઇએ. ચીની વિદેશ મંત્રી યાંગે કહ્યું હતું, 'એકતરફી કરવામાં આવેલી કોઇપણ કાર્યવાહી સ્થિતિને નહીં બદલે.'
ચીની મંત્રીના નિવેદનના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'ચીનને સારી રીતે ખબર છે કે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. સાથે જ જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવી પૂર્ણ રીતે અમારો આંતરીક મામલો છે.' એમણે કહ્યું, ' અમે આશા કરીએ છીએ કે અન્ય દેશ ભારતની સંપ્રભૂતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સમ્માન કરશે. તેની સાથે જ પીઓકેના કથિત આર્થિક કોરિડોરના માધ્યમથી સ્થિતિને બદલવાના પ્રસાયથી બચશે.'