અમદાવાદમાં એક યુવકે આપઘાત કરીને મોતને વહાલું કરી દેતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સુસાઈડ નોટમાં કાગડા પીઠના PSI પર કર્યો ગંભીર આરોપ
અમદાવાદમાં PSIના ત્રાસથી યુવકનો આપઘાત
સુસાઈડ નોટમાં PSI ગોહિલ સામે ગંભીર આક્ષેપ
પરિવારજનોએ ન્યાય ન મળે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
પોલીસ પ્રજાનો મિત્ર કહેવાય છે. પરંતુ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનનના PSI ગોહિલના ત્રાસથી એક યુવકે દવા પીને આપધાત કરી લેતાં ઘટના સામે આવતાં ભારે ખળભાળટ મચી જવા પામ્યો છે.
અમદાવાદના યુવકે પોલીસના ત્રાસ થી કર્યો આપધાત
મહત્વનું છે કે , યુવકે આપઘાત કરતાં પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે અમદાવાદના કાગડાપીઠના પીએસઆઈ ગોહિલ પર ગંભીર આક્ષેપો લગાવવામા આવ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી પીએસઆઈ દ્વારા માનસિક હેરાનગતિ કરાતી હોવાનું ઉલ્લખે કરવામાં આવ્યું છે. જેથી યુવકે ત્રણ પાનની સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પાછી છે. જ્યારે બીજી બાજુ મૃતકના પરિવારજનોની માંગણી છે. આ અંગે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.