દેશમાં ભ્રષ્ટ્રાચાર બાબતે ભાજપ નેતા ભરત કાનાબારે, ટ્વીટ કરતા લખ્યું કે, '75 વર્ષમાં આપણે ભ્રષ્ટાચાર બાબતે વધુ ઉદાર બન્યા'. તેઓએ PM અને CMને ટ્વીટ કર્યું છે.
ભાજપના નેતા ડો.ભરત કાનાબારનું ટ્વીટ
ભ્રષ્ટ્રાચાર બાબતે ઉદારતા દાખવાયાનું ટ્વીટ
અગાઉ પણ સવાલ ઉઠાવી ચુક્યા છે આ નેતા
અમરેલી જીલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા ભરત કાનાબારે ટ્વીટનાં માધ્યમથી વધુ એક વખત ખળભળાટ મચાવ્યો છે. દેશમાં ભ્રષ્ટ્રાચાર બાબતે તેમણે કોઈ પણનું નામ દીધા વગર આ મુદ્દે સવાલ ઉઠાવતા લખ્યું કે, '75 વર્ષમાં આપણે ભ્રષ્ટાચાર બાબતે વધુ ઉદાર બન્યા'. તેઓએ PM અને CMને ટ્વીટ કર્યું છે.
અગાઉ પણ PMને ટેગ કરી ટ્વીટ કરી ચુક્યા છે
આ અગાઉ પણ ચાર મહિના પહેલા કાનાબારે દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસ અને ખાલી પડેલી ન્યાયધીશોની જગ્યાઓને લઈ સવાલ ઉઠાવ્યા હતા. ડો. કાનાબારે એક ટ્વીટ કરી દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસના આંકડાઓ જાહેર કરતા લખ્યું હતું કે, જો દેશમાં નવો કેસ ના નોંધાયો તો પણ જે પેન્ડિંગ કેસ છે તેના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય. ડો. કાનાબારે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીને ટેગ કર્યા હતા. ડો.ભરત કાનાબારે સમયાંતરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવતા રહે છે.
આઝાદીના ૭૫ વર્ષમાં ભ્રષ્ટાચાર બાબતમાં આપણે વધુ ઉદાર બન્યા છીએ.
“ફલાણા નેતાએ/અધિકારીએ ખુબ માલ બનાવ્યો” એવી વાત અહોભાવ સાથે કરીએ છીએ.
કરપ્શન કરનાર પણ જાહેરમાં ઊંચા કોલર રાખી ફરી શકે છે. ઉલ્ટાનું આપણે તો તેને આપણા કાર્યક્રમોમાં બોલાવી હારતોરા કરીએ છીએ.@narendramodi@Bhupendrapbjppic.twitter.com/SpbUg4AEa9