જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યું વાતાવરણ છે. પાકિસ્તાનને ભારતના દરેક ખૂણેથી પાઠ શીખવાની માંગ છે. જે દરમિયાન પાકિસ્તાની ગાયક-અભિનેતા અલી ઝફરે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદનની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી છે.
આતંકી હુમલા બાદ રોષે ભરાયેલા ભારતીઓએ સોશિયલ મીડિયા પર અલી ઝફરને ભારત આવે ત્યારે સબક શીખવાડવાની ધમકી આપી છે. પૂલવામાના હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સ્થિતિ પર ઇમરાન ખાને કોઈ પુરાવા વિના ભારતના આરોપ મૂકવાના આરોપ વિશે વાત કરી હતી. ઇમરાને કહ્યું હતું કે "પુલવામા કેસમાં તપાસ અંગે પાકિસ્તાન ભારતને ટેકો આપશે. જો આ હુમલો પાકિસ્તાન સાથે સંકળાયેલો છે તો અમે જવાબદારો સામે કાર્યવાહી કરીશું."
આ ઉપરાંત ઇમરાને એમ પણ કહ્યું કે જો ભારત અમારા પર હુમલો કરશે તો અમે પણ જવાબ આપીશું. આ નિવેદનથી સંબંધિત પાકિસ્તાની ગાયક-અભિનેતા અલી ઝફરે ટ્વીટર પર લખ્યું કે "શું સ્પીચ છે સાહેબ"
ઝફરની પ્રતિક્રિયા ભારતીયોને પસંદ ન આવી લોકોએ કહ્યું કે ફરીથી ભારત ન આવતો નહીં તો ધોલાઇ થશે. એક વપરાશકર્તાએ લખ્યું કે- હવે ભારતમાં આવ તો ખરો. અન્ય વપરાશકર્તાએ લખ્યું કે- બેરોજગારીમાં લોકો કેવું કેવું વિચારે છે. તમને જણાવી દઇએ કે અલી ઝફરે બૉલીવુડ ફિલ્મો તેરે બિન લાદેન ડિયર જિંદગી અને કીલ દિલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
Kranchi art council had invited. Shabana and me for a two day lit conference about Kaifi Azmi and his poetry . We have cancelled that . In 1965 during the indo Pak war Kaifi saheb had written a poem . “ AUR PHIR KRISHAN NE ARJUN SE KAHA “
તમને જણાવી દઇએ કે પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ઘણાં ઘણાં પાકિસ્તાનની કલાકારોને બૉલીવુડમાંથી બાય બાય કરવું પડ્યું છે.
I have a special relation with CRPF. I have written Their anthem Before putting the pen to paper I met a number of CRPF officers n what ever I learned my respect admiration and love for these braves increased by many a fold Today I share the grief of the dear ones of the martyrs