ઈમરાન ખાને કાશ્મીર મુદ્દાને લઈને પરમાણુ યુદ્ધ થવાના અણસારને લઈને સ્વીકાર્યું છે કે ભારતની સાથે પારંપરિક યુદ્ધ થશે તો પાકિસ્તાન હારી શકે છે. ઈમરાન ખાને કહ્યું મારું માનવું છે કે યુદ્ધથી સમસ્યાઓનું સમાધાન થતું નથી.
ઈમરાન ખાને સ્વીકાર્યું કે ભારત સાથે યુદ્ધમાં હારી શકે છે પાકિસ્તાન
પાકિસ્તાન સ્વતંત્રતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશેઃ ઈમરાન
વિયતનામ, ઈરાકના યુદ્ધનો કર્યો ઉલ્લેખ, પરિણામ ઘણા ગંભીર હતા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને એકવાર ફરી પરમાણુ હુમલાની ધમકી આપી છે. જો કે ઈમરાન ખાને માન્યું કે ભારતની સાથેના પારંપરિક યુદ્ધમાં પાકિસ્તાન હારી જશે. એવામાં યુદ્ધ થશે તો પરમાણુ હુમલા પણ થઈ શકે છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને એક વાર ફરી ભારતની સાથે યુદ્ધની સંભાવના દર્શાવી છે. ઈમરાન ખાને કાશ્મીર મુદ્દાને લઈને પરમાણુ યુદ્ધ થવાના અણસાર આપતાં સ્વીકાર્યું છે કે ભારતની સાથે પારંપરિક યુદ્ધ થયું તો પાકિસ્તાન હારી શકે છે. તેઓએ કહ્યું કે આ બાબતમાં પરિણામ ભયંકર હોઈ શકે છે.
Pak could lose conventional war with India: Imran Khan
પાકિસ્તાન નહીં શરૂ કરે પરમાણુ યુદ્ધ
કાશ્મીર પર ભારતના પરમાણુ હુમલાની ધમકીને લઈને એકવાર ફરી ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે કોઈ ભ્રમ નથી, મેં કહ્યું છે કે પાકિસ્તાન ક્યારેય પણ પરમાણુ યુદ્ધ શરૂ કરશે નહીં. હું શાંતિવાદી છું અને યુદ્ધ વિરોધી છું. ઈમરાન ખાને કહ્યું મારું માનવું છે કે યુદ્ધથી સમસ્યાઓનું સમાધાન થતું નથી. યુદ્ધના અપેક્ષિત પરિણામ હોય છે. વિયતનામ, ઈરાકના યુદ્ધને જુઓ. આ યુદ્ધથી અનેક સમસ્યાઓ જન્મી અને કદાચ તેનાથી પણ વધારે ગંભીર સ્થિતિ એ છે જેને કારણે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું.
છેલ્લા શ્વાસ સુધી લડશે પાકિસ્તાન
ઈમરાન ખાને કહ્યું કે ઈશ્વર ન કરે, પણ હું એમ કહું કે પાકિસ્તાન પારંપરિક યુદ્ધમાં હારી રહ્યું હોય અને એક દેશ બે વિકલ્પો વચ્ચે ફસાયું હોય તો તમે આત્મસમર્પણ કરશો કે પોતાની સ્વતંત્રતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશો. પાકિસ્તાન છેલ્લા શ્વાસ સુધી લડશે તેવો મને વિશ્વાસ છે. ઈમરાને કહ્યું કે જ્યારે એક પરમાણુ સંપન્ન દેશ છેલ્લા શ્વાસ સુધી લડે છે તો પરિણામ ભયંકર હોઈ શકે છે.
પાકિસ્તાનના પીએમએ કહ્યું આ જ કારણ છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંપર્ક કર્યો છે અને દરેક આંતરરાષ્ટ્રિય મંચ સાથે સંપર્ક કરી રહ્યા છીએ કે તેઓ હવે આ માટેના પગલાં લે. કાશ્મીર એક સંભવિત મુશ્કેલી છે જે ભારતીય ઉપમહાદ્વિપથી પણ વધશે. કાશ્મીર સાથે વિશેષ દરજ્જાને ખતમ કરવાની વાત પર ઈમરાન ખાને કહ્યું કે ભારતે કાશ્મીર પર અવૈદ્ય રૂપથી વર્ચસ્વ મેળવી લીધું છે.