બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Important notice given by DEO to all private schools regarding resignation of teachers, know what
Megha
Last Updated: 11:08 AM, 24 March 2023
ADVERTISEMENT
રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષામાં પેપર તપાસ માટે શિક્ષકોને ફરજિયાત હાજર રહેવાની સુચના આપી છે. આ સાથે જ યોગ્ય કારણ વિના શિક્ષકોને રજા મળશે નહીં એમ પણ કહેવામાં આવ્યું છે.
મોટાભાગે એવું બને છે કે ખાનગી સ્કૂલોના શિક્ષકો પોતાના ટ્યુશન ક્લાસ ચલાવવા માટે બોર્ડની પરીક્ષા પછી ખાનગી સ્કૂલમાંથી રાજીનામુ આપી દે અને નવા શૈક્ષણીક વર્ષથી ફરી પાછા જોડાઇ જાય છે.
ADVERTISEMENT
શિક્ષકો રાજીનામું આપે તો તેની જાણ ડીઇઓને કરવી
બોર્ડની પરીક્ષા બાદ પેપર ચેક કરવામાં શિક્ષકો જોડાય તે માટે બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. જણાવી દઈએ કે શિક્ષકોની આ ચતુરાઇ પર અંકુશ લગાવવા માટે દરેક ખાનગી સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે જે શિક્ષકો પરીક્ષા બાદ જે શિક્ષકો રાજીનામું આપે તેની જાણ ડીઇઓને કરવાની રહેશે.
12 શિક્ષકોની અરજી નામંજૂર કરી
નોંધનીય છે કે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કુલ 39 શિક્ષકોએ પરીક્ષાના પેપર તપાસવાના કામમાં ન જોડાવવા માટે અરજી કરી હતી જેમાં બોર્ડે એ અરજી દસ્તાવેજો વગેરેની તપાસ કરીને 17 શિક્ષકોની અરજી માન્ય કરી છે અને 12 શિક્ષકોની અરજી નામંજૂર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.