રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અંગ દઝાડતી ગરમીના કારણે અમદાવાદ કલેક્ટરે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આજથી જનસેવા કેન્દ્રને સવારે 9 વાગ્યે ખોલવાનો આદેશ આપી દેવાયો છે. જોઇએ સમગ્ર અહેવાલ.
રાજ્યમાં પડતી અંગ દઝાડતી ગરમીના કારણે અમદાવાદ કલેક્ટરે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી જનસેવા કેન્દ્ર સવારે 10.30એ શરૂ થતા હતા તે હવે રોજ ન વાગ્યે શરૂ થઇ જશે. જેનો અમલ આજથી જ કરી દેવાયો છે.
કાળઝાળ ગરમીમાં શહેરીજનોને બપોરે બહાર ન નીકળવું પડે તે માટે અમદાવાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઇએ કે, જનસેવા કેન્દ્ર આજ સુધી સવારના 10:30એ ચાલુ થતા હતા, જે હવે 9 વાગ્યે ખુલી જશે.