ઘરની ગરીબીને દૂર કરવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાયોનું પાલન કરવા પર ઘરમાં સુખ-સમુદ્ઘિ બની રહે છે. એવો જ એક ઉપાય છે તુલસીના છોડની પાસે શાલિગ્રામ (એક પથ્થર) રાખીને તેની દરરોજ પૂજા કરવાનો...શાલિગ્રામને ભગવાન વિષ્ણુનુ સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરોમાં તુલસીની સાથે શાલિગ્રામની પૂજા કરવામાં આવે ત્યાં દરિદ્ગતા નથી આવતી. અહીંયા જાણો શાલિગ્રામથી જોડાયેલી કેટલીક ખાસ વાતો...
શાલિગ્રામ નેપાલની ગંડકી નદીની તળ પાસેથી પ્રાપ્ત થાય છે. શાલિગ્રામ કાળા રંગનો ચીકણો અંડાકાર પથ્થર હોય છે. તેણે સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે તેના પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી હોતી. કોઇ પણ વ્યકિત ઘરમાં કે મંદિરમાં સ્થાપિત કર્યા પછી તેની પૂજા કરી શકે છે.
શાલિગ્રામ અલગ-અલગ રૂપમાં મળે છે. કેટલાક અંડાકાર હોય છે તો કેટલાકમાં કાણાં હોય છે. આ પથ્થરમાં શંખ ચક્ર ગદા અથવા તો પદ્મની નિશાન બનેલા હોય છે.
ઘરમાં શાલિગ્રામ રાખવાના ફાયદા:
ભગવાન શાલિગ્રામની પૂજા તુલસીની વિના પૂરી થતી નથી અને તુલસી અર્પિત કરવા પર તે તરત પ્રસન્ન થઇ જાય છે.
શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપ તુલસીના લગ્ન કરવાથી પાપ દુ:ખ રોગ અને કંકાસ દૂર થઇ જાય છે.
તુલસી શાલિગ્રામ લગ્ન કરાવવાથી પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે કન્યાદાન કરવાથી મળે છે.
પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન લગાવી અને તુલસી અર્પિત કરો. ભોગ લગાવવો આ ઉપાયથી તન મન અને ધનને લગતી તમામ મુશ્કેલીએ દૂર થઇ જશે.
વિષ્ણુ પુરાણના અનુસાર જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે ઘર તીર્થ સમાન હોય છે.
પૂજામાં શાલિગ્રામ પર ચઢાવવામાં આવેલું જળ જો કોઇ ભક્ત પોતાના પર છાંટે તો તેણે તીર્થોમાં સ્નાન કર્યા સમાન પુણ્યનું ફળ મળે છે. જે વ્યકિત શાલિગ્રામ દરરોજ જળ છાંટે છે તે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે છે.
શાલિગ્રામ પર અર્પિત કરવામાં આવેલું પંચામૃત પ્રસાદના રૂપમાં સેવન કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે.
જે ઘરમાં શાલિગ્રામની રોજ પૂજા કરવામાં આવે ત્યાથી દુ:ખ અને નકારાત્મકતા દૂર થઇ જાય છે.