ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ના પ્રધાનમંત્રી સાથે આ મુદ્દે ધ્યાન આપવાની અપીલ કરતા જણાવ્યું કે શનિવારે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 196 ડૉક્ટરોના મોત Covid-19ને લઇને થઇ ચૂક્યા છે. જેમાંથી વધુ પડતા સામાન્ય ડૉક્ટરો રહ્યા છે.
સમગ્ર દેશમાં કોરોના સંકટ ઘેરું બન્યું
કોવિડથી ભારતમાં અત્યાર સુધીમાં 200 ડૉક્ટરોના મોત
IMAને PMને ધ્યાન આપવાની કરી અપીલ
IMAએ કોવિડ 19 સંકટ વિરૂદ્ધ લડાઈમાં પોતાનો જીવ ગુમાવનારા ડૉક્ટરોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, IMA તરફથી એકત્ર કરવામાં આવેલા નવા આંકડાઓ અનુસાર, આપણા દેશના 196 ડૉક્ટરોને ગુમાવી દીધા છે, જેમાંથી 170ની ઉંમર 50થી વધુ હતી.
જ્યારે દરરોજ સંક્રમિત થઇ રહેલા અને પોતાનો જીવ ગુમાવી રહેલા ડૉક્ટરોની સંખ્યા વધતી જઇ રહી છે, જોકે આમાંથી પર્યાપ્ત સંખ્યામાં સામાન્ય ડૉક્ટર સામેલ છે. ડૉક્ટરોની સંસ્થાએ કહ્યું કે, કારણ કે વધુ લોકો તાવ અને તેને સંબંધિત લક્ષણો હોવા પર સામાન્ય ડૉક્ટરો કરે છે, તેવામાં તેઓ સંપર્ક અને સારવારના પહેલા કેન્દ્ર બને છે.
ડૉક્ટરોને મળેલ સરકારી ચિકિત્સા અને જીવન વિમા સુવિધાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, IMAએ તેમના ડૉક્ટરો અને તેના પરિવારજનો માટે જરૂરી સંભાળ રાખવા અપીલ કરી, જે એક વધુ પડતો જોખમી વર્ગ છે અને તમામ ક્ષેત્રોમાં ડૉક્ટરોને સરકારી સારવાર અને જીવન વિમા સુવિધાઓ આપવાની વાત કહેવામાં આવી છે.
કોવિડ-19થી થઇ રહેલા ડૉક્ટરોના મોતનો દર ખતરનાક સ્તરે પહોંચ્યો
આમાં પણ કહેવામાં આવ્યું, IMA દેશભમાં ફેલાયેલા તે 3.5 લાખ ડૉક્ટરોનું પ્રતિનિધિત્વ કરે છે, જે અડોસ-પડોસમાં સસ્તી સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરે છે. આ ઉલ્લેખ કરવો ઉચિત છે કે કોરોના સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચે અંતર નથી કરતો અને તમામને અસર કરે છે.
ડૉક્ટરો વચ્ચે વધી રહેલા કોવિડ-10ના સંક્રમણ અને તેમના મોતને લઇને ભારતીય મેડિકલ એસોસિએશનના મહાસચિવ ડૉ. આરવી અશોકને કહ્યું કે, કોરોનાના કારણે ડૉક્ટરો વચ્ચે મૃત્યુદર ખતરનાક સ્તરે પહોંચ્યો છે.