ચાણક્ય નીતિમાં કહેવામાં આવેલી વાતો જીવનમાં ઉતારી લેશો તો ઝડપથી સફળતા પ્રાપ્ત કરી શકશો.
આ કાર્યો અપાવશે તમને સફળતા
ચાણક્યએ કહેલી આ વાત જીવનમાં ઉતારો
વ્યક્તિએ ક્યારેય અહંકાર ન રાખવો જોઇએ
આચાર્ય ચાણક્યની રાજનીતિ, કૂનીતિ, સમાજથી જોડાયેલી બાબતો આજે પણ એટલી જ કામની છે જેટલી દશકો પહેલા હતી. જો તમે પણ ઝડપથી સફળતા મેળવવા આ વસ્તુઓનો ત્યાગ કરી લો.
ક્રોધ
જો તમે જીવનમાં સફળ થવા માંગો છો, તો આજે ગુસ્સે થવાનું બંધ કરો. ગુસ્સો વ્યક્તિની અંતરાત્મા અને બુદ્ધિ બંનેનો નાશ કરે છે. તેના કારણે તેની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થતો નથી અને તે પાછળ રહી જાય છે.
ઘમંડ
વ્યક્તિ જે દિવસે અહંકારી બને છે તે દિવસથી કાઉન્ટડાઉન શરૂ થાય છે. તેની સફળતા અથવા વૃદ્ધિનો ગ્રાફ નીચે આવવા માંડે છે કારણ કે તે એક એવી વસ્તુ છે જેના કારણે વ્યક્તિનો પોતાનો અને લોકો તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાંખે છે.
લાલચ
લોભી વ્યક્તિ ક્યારેય સંતોષ પામતો નથી અને સરળતાથી તેના લક્ષ્યથી ભટકી જાય છે. સાથે જ તે માનસિક પીડા પણ ભોગવે છે.
અનુશાસન
શિસ્ત વિના જીવન વેરવિખેર થઈ જાય છે. તેના વિના સફળતા મેળવવી લગભગ અશક્ય છે. અનુશાસિત વ્યક્તિ સમયને મહત્વ આપતો નથી અને તે સફળ થઇ શકતો નથી.
આળસ
આળસુ વ્યક્તિ વિચારવાનું ચાલુ રાખે છે અને કંઇ કરી શકતો નથી. ધીરે ધીરે તેની પ્રતિભા પણ ખતમ થઈ જાય છે. સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે અને તેનો કોઈ વિકલ્પ નથી.
છતરપિંડી-જૂઠ્ઠાણું
જે લોકો જૂઠું બોલે છે, બીજાને છેતરે છે તે ક્યારેય સફળ થતા નથી. જો તેઓ સફળ થાય તો પણ તેમને સન્માન મળતું નથી.