જો તમે કોરોના સંકટમાં લખપતિ બનવાના સપના જોઈ રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. હવે તમે ફક્ત 1 રૂપિયાના સિક્કાથી 1.5 લાખ રૂપિયા કમાઇ શકો છો. ચાલો જાણીએ કઈ રીતે.
માત્ર 1 રૂપિયો બદલી દેશે તમારી કિસ્મત
ઘરે બેઠાં જ આ રીતે બનો લખપતિ
કોરોના સંકટમાં સુધરી જશે તમારી આર્થિક સ્થિતિ
તમે વિચારી પણ નહીં શકો કે ઘણીવખત કેટલીક જૂની વસ્તુઓ તમને અચાનકથી અમીર બનાવી શકે છે. તમારા ઘરમાં પડેલા જૂના સામાનની ડિમાન્ડ બજારમાં એટલી વધુ છે કે તમને તેના બદલામાં મોં માંગી રકમ મળી શકે છે. જો તમારી પાસે જૂના સિક્કા પડ્યા છે તો તમે કરોડપતિ બની શકો છો. હકીકતમાં કેટલાક લોકોને જૂનો સામાન સાચવીનેરાખવાની આદત કે શોખ હોય છે. હવે એક રૂપિયાનો આ સિક્કો તમારી કિસ્મત બદલી શકે છે અને તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો.
કમાઈ શકો છો દોઢ લાખ રૂપિયા
આજે અમે તમને આવા જ એક સિક્કા વિશે જણાવી રહ્યા છીએ અને કેવી રીતે એક ક્લિકથી તમને લખપતિ બનાવી શકે છે. ઇ-કોમર્સ સાઇટ Quickr પર મહારાણી વિક્ટોરિયાનો વર્ષ 1862નો સિક્કો વેચાઈ રહ્યો છે. આ વેબસાઇટ પર આ સિક્કો 1.5 લાખ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે. વર્ષ 1862માં બનેલો એક રૂપિયાનો ચાંદીનો સિક્કો દુર્લભ સિક્કાઓની શ્રેણીમાં આવે છે. તેનાથી તમે દોઢ લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.
તમને જણાવી દઈએ કે ભારતમાં અનેક લોકો મહારાણી વિક્ટોરિયાના સિક્કાઓની ખરીદી કરવાનું પસંદ કરે છે. અનેક લોકો દિવાળી, અખાત્રીજ જેવા શુભ મુહૂર્ત પર આવા સિક્કાની ખરીદી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં આવા સિક્કાઓને બનાવવાનું કામ બંધ થઈ ગયું છે. જેના કારણે આ સિક્કાની કિંમત ઘણી વધી ગઈ છે અને તેની ખૂબ જ ડિમાન્ડ છે.
જાણો આ સિક્કાને કેવી રીતે વેચી શકાય
જો તમારી પાસે પણ એક રૂપિયાનો આવો દુર્લભ સિક્કો છે અને તમે તેને વેચવા માંગો છો તો તમારે ઇ-કોમર્સ વેબસાઇટ Quickr પર જવું પડશે. અહીં સૌથી પહેલાં તમારે સાઇટ પર એક ઓનલાઇન વિક્રેતા (Seller) તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સિક્કાની એક તસવીર પર ક્લિક કરો અને તેને સાઇટ પર અપલોડ કરો. જો તમે ભાગ્યશાળી છો તો ખરીદનાર સીધો તમારો સંપર્ક કરશે. પછી તમે પેમેન્ટ અને ડિલીવરીની શરતો મુજબ તમારો સિક્કો વેચી શકો છો.