બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / if you have invested in the post office then settle this work before april 1

તમારા કામનું / Post Officeમાં રોકાણ કર્યું હોય તો ફટાફટ 1 એપ્રિલ પહેલાં પતાવી દો આ કામ, નહીં તો થશે મોટું નુકસાન

Dhruv

Last Updated: 01:46 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા ભાગના લોકો નાની બચત માટે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતા હોય છે. ત્યારે જો તમે પણ પોસ્ટ ઓફિસની મંથલી સેવિંગ સ્કીમ, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, PPF, NSE અને FD જેવી કોઈ સ્કીમમાં રોકાણ કર્યું છે તો આ સમાચાર ખાસ તમારી માટે જ છે.

  • પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર
  • 1 એપ્રિલથી વ્યાજના નિયમમાં થઇ રહ્યાં છે ફેરફાર
  • જલ્દીથી બચત ખાતું ખોલાવી દો નહીં તો....

વાસ્તવમાં 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ આ તમામ યોજનાઓ પર વ્યાજના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો તમે પોસ્ટ ઓફિસના નવા નિયમો અનુસાર રોકાણ નહીં કરો તો તમને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક વ્યાજનો લાભ નહીં મળે. ત્યારે અહીં વિગતે જાણીશું 1 એપ્રિલ, 2022 થી પોસ્ટ ઓફિસ માટે બદલાતા આ નિયમો વિશે….

આ કારણોસર નહીં મળે વ્યાજ - જે લોકોએ તેમના બચત ખાતાને પોસ્ટ ઓફિસમાં MIS, SCSS અને TD સાથે લિંક કર્યા નથી. તેઓને પોસ્ટ ઓફિસ દ્વારા રોકાણ કરાયેલી રકમ પર તેમને વ્યાજ આપવામાં નહીં આવે. તેની બદલે આ વ્યાજ પોસ્ટ ઓફિસ વતી ટ્રેઝરી ખાતામાં જમા કરાવી દેવામાં આવશે.

ભારતીય પોસ્ટ ઓફિસ અનુસાર, 1 એપ્રિલથી તમામ યોજનાઓ પર મળતું વ્યાજ માત્ર રોકાણના સેવિંગ એકાઉન્ટ અથવા સ્કીમ સાથે જોડાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે તમારી રોકાણ કરેલી રકમના વ્યાજ માટે હજુ સુધી જો તમે બચત ખાતું નથી ખોલાવ્યું તો તમારે તેને જલ્દીથી ખોલાવી દેવું જોઈએ.

જાણો એકાઉન્ટ કેવી રીતે લિંક કરી શકાશે?

  • ખાતાધારકે SB-83 ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
  • આની સાથે-સાથે MIS/SCSS/TD એકાઉન્ટને પોસ્ટ ઓફિસના તમારા સેવિંગ એકાઉન્ટ સાથે લિંક કરવાનું રહેશે.
  • લિંકની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ MIS, SCSS, TD એકાઉન્ટની પાસબુક અને પોસ્ટ ઓફિસ બચત ખાતાની પાસબુકની ચકાસણી કરવાની રહેશે.
  • કેન્સલ ચેક અથવા બેંક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પાનાની ફોટોકોપીને ECS-1 ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.
  • તમારે જે એકાઉન્ટમાં વ્યાજ જમા કરાવવાનું છે તેની નકલ પણ તમારે આપવાની રહેશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ