વૉટ્સઍપ પર ફેક અને સ્પેમ મેસેજ ફેલાતા રોકવા માટે ભારત સરકાર એક નવી સિસ્ટમ લાવવાનું પ્લાન કરી રહી છે.
વૉટ્સઍપ પર મેસેજ મોકલતા પહેલા ચેતજો
નવી સિસ્ટમ દ્વારા મેસેજ કોણે સૌથી પહેલા મોકલ્યો જાણી શકાશે
અલ્ફા ન્યૂમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ શરૂ થશે
ભારત સરકારે લોકપ્રિય ઇન્સન્ટ મેસેજીંગ ઍપ વૉટ્સઍપના દરેક મેસેજ માટે એક અલ્ફા ન્યૂમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ શરૂ કરવા માટે કહ્યું છે. વૉટ્સઍપ પર સ્પેમ મેસેજ સૌથી વધારે વાયરલ થાય છે. આ જ કારણે સરકાર વૉટ્સઍપના માધ્યમથી ફેલાતી ભ્રામક સુચનાઓથી લોકોને બચાવવાનો પ્લાન કરી રહી છે.
મહત્વનું છે કે ઘણા સમય પહેલાથી જ ટોપ લેવલના સરકારી અધિકારી અને વૉટ્સઍપ અધિકારી સ્પેમ મેસેજ ક્યાંથી આવ્યો છે તે જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના કારણે ફેસબૂકના સ્વામિત્વવાળી આ કંપની કોઇ નિર્ણય લઇ શકતી નથી. વૉટ્સઍપનું જો માનવામાં આવે તો દરેક મેસેજ એન્ક્રિપ્ટ થાય છે પણ મેસેજનુ ઓરીજીન જાણવાનો પ્રયત્ન કરીશું તો તેનાથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ટેકનીક બ્રેક થશે.
આ રીતે કામ કરશે નવી સિસ્ટમ
ભારત સરકાર એક નવી ટેકનિક લાવશે જેનો પ્રસ્તાવ તે વૉટ્સઍપને આપશે. જેના માધ્યમથી પ્લેટફોર્મની એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તોડ્યા વગર મેસેજના ઓરીજીનની જાણકારી મળશે.
આ સિસ્ટમ હેઠળ સરકાર વૉટ્સઍપને પોતાના પ્લેટફોર્મ પર મોકલવામાં આવેલા દરેક મેસેજ માટે એખ યુનિક અલ્ફા ન્યૂમેરિક હેશનંબર જનરેટ કરવા માટે કહી રહી છે. જો વૉટ્સઍપ આ પ્લાનને લાગૂ કરશે તો પ્લેટફોર્મ પર મોકલવામાં આવેલ દરેક મેસેજ A to Z સુધીના અક્ષરો અને 0-9 નંબર વચ્ચે એક કોડ આવશે જેનાથી ખબર પડશે કે આ મેસેજ કોણે જનરેટ કર્યો છે.