આજે અમે તમને એવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો
વેઇટિંગ ટિકિટ પર રિફંડથી લઈને ટિકિટ બુકિંગ સુધીના નિયમોમાં ફેરફાર
જો ટ્રેન ડાયવર્ટ કરવામાં આવે તો પણ ટિકિટના પૈસા પરત મળે
કેવી રીતે ભરવું TDR , સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો
ભારતીય રેલ્વે દ્વારા દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે એન આવી સ્થિતિમાં એ મુસાફરોની મુસાફરીને સરળ બનાવવા માટે ભારતીય રેલ્વે સમયાંતરે એમને સારી અને અલગ સુવિધાઓ પ્રદાન કરતી રહે છે. કોરોનાની મહામારી પછી રેલવેએ ઘણા નિયમો પણ બદલ્યા છે અને તેમાં વેઇટિંગ ટિકિટ પર રિફંડથી લઈને ટિકિટ બુકિંગ સુધીના નિયમોનો સમાવેશ થાય છે. આજે અમે તમને એવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો તો ચાલો જાણીએ શું છે એ નિયમ.
જણાવી દઈએ કે IRCTCની વેબસાઈટ પર દરરોજ ટ્રેનો રદ કરવાથી લઈને ડાયવર્ઝન સુધીની માહિતી અપડેટ કરવામાં આવે છે અને જ્યારે ટ્રેન રદ થાય છે ત્યારે ટિકિટના પૈસા પરત કરવામાં આવે છે પણ શું તમે જાણો છો કે જો ટ્રેન ડાયવર્ટ કરવામાં આવે તો પણ ટિકિટના પૈસા તમારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. જો કે આ માટે તમારે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે અને પછી પૈસા પરત મળે છે.
ટ્રેન ડાયવર્ટ થાય તો કેવી રીતે રિફંડ મેળવવું
ભારતીય રેલવેની વેબસાઈટ erail.in અનુસાર જો ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી હોય અને પેસેન્જરે મુસાફરી ન કરી હોય તો યાત્રીએ બોર્ડિંગ સ્ટેશન પર ટ્રેન ઉપડ્યાના 72 કલાકની અંદર TDR ફાઇલ કરવી પડે છે અને જો આ કરવામાં નહીં આવે તો તમારી ટિકિટના પૈસા પરત મળતા નથી.
કેવી રીતે ભરવું TDR , સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો
- TDR એટલે કે ટિકિટ ડિપોઝીટની રસીદ ભરવા માટે પહેલા IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- એ બાદ ટિકિટ કેન્સલ કરવાના કારણ વિશે માહિતી આપો
- આ પછી બુક કરેલી ટિકિટ હિસ્ટ્રી પર ક્લિક કરો.
- જેના માટે TDR ફાઇલ કરવી છે તે PNR પસંદ કરો અને "ફાઇલ TDR" બટન પર ક્લિક કરો.
- એ પછી ટીડીઆર રિફંડનો દાવો કરવા માટે ટિકિટની વિગતોમાંથી મુસાફરનું નામ પસંદ કરો.
- એ પસંદ કર્યા પછી હવે ટિકિટ કેન્સલ કરવાના કારણ વિશે માહિતી આપો
- સબમિટ બટન પર ક્લિક કરો.
- જો તમે "અન્ય" બટન પર ક્લિક કરશો, તો એક નવું બોક્સ ખુલશે.
- હવે ગ્રાહક કારણ વિગતો ભરીને સબમિટ બટન પર ક્લિક કરો.
- TDR ફાઈલ કરવાનું કન્ફર્મેશન થશે.
હવે તમારો TDR રજીસ્ટર થઈ ગયા પછી થોડા દિવસોમાં તમારા ખાતામાં રિફંડ ટ્રાન્સફર થઈ જશે.