બંગાળમાં આજકાલ રાજકીય નિવેદનબાજીઓનો દોર ચાલી રહ્યો છે, પહેલા ચરણના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે TMC નેતાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે.
TMC નેતાનું ભડકાઉ ભાષણ
ભાજપે આ નિવેદનનો કર્યો વિરોધ
મમતા બેનરજી પર સાધ્યું નિશાન
બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ TMC ના નેતા શેખ આલમે ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો મુસ્લિમ મતદાતાઓ એક તરફ થઈ જાય તો ચાર નવા પાકિસ્તાન બનાવી શકાય છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા શેઠ આલમનું નિવેદન ભાજપ માટે હથિયાર બની જાય તેવી સંભાવના છે અને મતદાન પહેલાં હવે ધ્રુવીકરણ થવાની સંભાવના વધી ગઈ છે.
Y’day, TMC leader Sheikh Alam, giving a speech in Basa para, Nanoor, in Birbhum AC said, if 30% Muslims in India come together, then 4 Pakistan can be formed...
He obviously owes his allegiance to Mamata Banerjee... Does she endorse this position?
શેખ આલમે કહ્યું કે, અમે 30 ટકા (મુસ્લિમ) છીએ અને તેઓ 70 ટકા (હિન્દુ) છે. તેઓ (ભાજપ) 70 ટકા સપોર્ટ સાથે સત્તા પર આવશે, તેમને શરમ થવી જોઈએ. જો આપણી મુસ્લિમ વસ્તી એક તરફ આવે તો આપણે 4 નવા પાકિસ્તાન બનાવી શકીએ. 70 ટકા વસ્તી ક્યાં જશે? બીરભૂમ વિધાનસભા બેઠકના બાસપરાના નાનુર ખાતે લોકોને સંબોધન કરતા શેખ આલમે આ વિવાદિત નિવેદન આપ્યું હતું.
આ નિવેદન પર ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ શેખ આલમના નિવેદનને ટ્વીટ કરીને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું, "તેઓ સ્પષ્ટ રીતે મમતા બેનર્જી પ્રત્યેની નિષ્ઠા ધરાવે છે." શું તે (મમતા બેનર્જી) તેને સમર્થન આપે છે? શું આપણે આવી રીતનું બંગાળ જોવા માંગીએ છીએ? ''
અગાઉ પણ આવ્યા છે ભડકાઉ નિવેદનો
મહત્વની વાત એ છે કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન TMC નેતાએ આવું જ વિવાદિત નિવેદન આપ્યું હતું. મમતા સરકારના મંત્રી ફિરહદ હકીમે તો એક વિસ્તારને મિની પાકિસ્તાન પણ કહી દીધું હતું, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. મતદાનના પાંચમા તબક્કા પહેલા તેમણે આવું નિવેદન આપ્યું હતું.