નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પોલે જણાવ્યું જો ભવિષ્યમાં લોકડાઉન જેવું કંઈક કરવાની જરુર પડી તો તે અંગે ચર્ચા કરવામાં આવશે અને પછી નિર્ણય લેવાશે.
નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પોલનું લોકડાઉન પર મહત્વનું નિવેદન
જરુર પડશે તો બીજા વિકલ્પોની વિચારણા કરી શકાય છે
સંક્રમણ દર 10 ટકા કરતા વધારે છે ત્યાં નાઈટ કર્ફ્યુની સલાહ અપાઈ
લોકડાઉન લગાડવાની મોદી સરકારની કોઈ યોજના નથી
રાજ્ય સરકારોને પ્રતિબંધોના દિશાનિર્દેશ અપાયેલા જ છે
ડો.વીકે પોલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંક્રમણની સાંકળ તોડવા રાજ્ય સરકારોને પ્રતિબંધોના દિશાનિર્દેશ આપી ચૂકી છે. તેમણે કહ્યું કે જો સંક્રમણ ઘણુ વધે તો ચેન તોડવા માટે પ્રતિબંધ લગાડાય છે, લોકોની અવરજવર રોકવામાં આવે છે.
#WATCH | Dr VK Paul, NITI Aayog, when asked if nationwide lockdown the only solution to rise in cases, says, "...If anything more is required those options are always being discussed. There's already a guideline to states to impose restrictions to suppress chain of transmission." pic.twitter.com/VBiSXWyTE7
આ સંબંધમાં 29 એપ્રિલે ગાઈડલાઈન જારી કરાઈ છે જેમાં કહેવાયું છે કે આપણે ટ્રાન્સમિશન રોકવાનું છે અને જે વિસ્તારોમાં સંક્રમણ દર 10 ટકા કરતા વધારે છે ત્યાં નાઈટ કર્ફ્યુની સલાહ અપાઈ છે.
જરુર પડી તો બીજા વિકલ્પો પર વિચાર કરાશે
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક પરિસ્થિતિની સમિક્ષા કરીને નિર્ણય લઈ શકે છે. આ ગાઈડલાઈનની ઉપરાંત જો બીજું કંઈ કરવાની જરુર પડી તો તે વિકલ્પો પર પણ વિચાર કરાય છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું કે દેશવ્યાપી લોકડાઉન લગાડવાની મોદી સરકારની કોઈ યોજના નથી. પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના પ્રતિબંધો વધુ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.
પોઝિટીવીટી રેટ 15 કરતા વધારે હોય ફક્ત એવા જ જિલ્લામાં કડક લોકડાઉન
અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોના કર્ફ્યુ અને લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ પાડ્યાં છે. હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ દેશના એવા જિલ્લામાં કડક લોકડાઉન લગાડવાની સલાહ આપી છે કે જ્યાં કોરોના પોઝિટીવીટી રેટ 15 કરતા વધારે હોય.
કેન્દ્ર સરકારે કહ્યું લોકડાઉનથી પ્રવાસી મજૂર પ્રભાવિત થાય છે
દેશભરમાં લોકડાઉન અંગે કેન્દ્ર સરકારનું માનવું છે કે તેનાથી મોટી સંખ્યામાં રોજગારી છીનવાઈ જશે. તથા ખાસ કરીને પ્રવાસી મજૂરો પર મોટી અસર પડશે. આને કારણે કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉનનો કોઈ વિચાર નથી.