પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તરફથી કાશ્મીર પર આપવામાં આવેલી યુદ્ઘની ધમકી પછી પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે સોશ્યલ મીડિયા પર નફરત ફેલાવવાનું કામ શરૂ કરી દીધુ છે.
ઇમરાન ખાનના નેતૃત્વમાં વર્લ્ડકપ જીતનારા જાવેદ મિયાંદાદ તાજેતરમાં જ કાશ્મીર રાગ ગાતા હિંસક વાતો કરવા લાગ્યા. ક્રિકેટરથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનેલા ઇમરાન ખાને ભારતને યુદ્ઘની ધમકી આપી તો મિયાંદાદે તલવાર ઉઠાવવાની વાત કરી.
સોશ્યલ મીડિયા પર મિયાંદાદનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કાશ્મીરના લોકો પ્રતિ એકજૂથતા બતાવવાનો દાવો કરી રહ્યા છે. વીડિયોમાં જાવેદ મિયાંદાદે પાકિસ્તાની વનડે ટીમની જર્સી પહેરી છે અને વિવાદિત નિવેદન આપી રહ્યા છે.
Former Pakistan cricketer Javed Miandad threatening India while holding a sword: Pehle main balle se chakka marta tha, ab talwar se insaan maaronga (If I can hit six with a bat, why can't I swing sword.. I used to hit sixes with bat, now I'll kill humans with sword)... pic.twitter.com/blmK1XnbKS
જાવેદ મિયાંદાદ આ વીડિયોમાં તલવાર હાથમાં લઇને કહી રહ્યા છે કે, ''કાશ્મીરના ભાઇએ ટેન્શનના કરો, અમે તમારી સાથે છીએ. પહેલા બેટથી સિક્સર ફટાકારી હતી, હવે તલવારનો પણ ઉપયોગ કરી શકું છું.'' પૂર્વ કેપ્ટને કહ્યુ કે, ''જ્યારે હું મારા બેટથી સિક્સર ફટકારી શકું છું તો તલવારથી માણસને કેમ ના મારી શકું?''
આ પહેલા પણ પાકિસ્તાનના પૂર્વ બેટસમેન જાવેદ મિયાંદાદે વીડિયો ટ્વીટ કરતા કહ્યુ કે, ''તે પણ LOC પર જનારા લોકોની સાથે છે. અમે ત્યાં જઇશું અને શાંતિ માટે પ્રાર્થના કરીશું. અમે ઇચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન પોતાના મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.''