કાલે શું થશે કોઇને ખબર હોતી નથી માટે ભવિષ્યને લઇને લોકો પોલીસી લઇ લેતા હોય છે પરંતુ માતા પિતાનું નિધન થાય તો બાળકોનું શું?
કેન્દ્ર સરકારે કર્યો નિયમમાં ફેરફાર
માતા-પિતાના મૃત્યુ પછી બાળકોને પેન્શન
પેન્શનની રકમમાં કર્યો વધારે
જો પતિ અને પત્ની બંને કેન્દ્ર સરકારના કર્મચારી છે તો 1972 નિયમો હેઠળ બાળકોને પેન્શન આપવામાં આવશે. ફેમિલી પેન્શનની વધારે સીમા 1.25 લાખ રૂપિયા હશે. તેના માટે કેટલાક નિયમ છે જેના હેઠળ પેન્શન આપવામાં આવશે.
કેન્દ્રિય કર્મચારીઓના પેન્શન પર નિયમ
કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ સાથે તેમના પરિવારને પણ સામાજીક સુરક્ષા આપવામાં આવે છે. કેન્દ્રિય સિવિલ સેવાના 54ના સબરૂલ 11 હેઠળ જો પતિ અને પત્નીની મૃત્યુ થઇ જાય છે અને તે બંને કેન્દ્રિય કર્મચારી છે તો બાળક અને ફેમિલીને પેન્શન મળશે.
પહેલા પેન્શન પર હતા આ નિયમ
પહેલા જો બંને પેન્શનર્સની મોત થઇ જાય તો નિયમ અનુસાર બાળકોને મળતા પેન્શનની રકમ 45000 રૂપિયા હતી જેને બદલીને હવે 1.25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
પેન્શન પર નવો નિયમ
સાતમુ પગારપંચ લાગૂ થયા બાદ નોકરીમાં પેમેન્ટને રિવાઇઝ કરીને 2.25 લાખ રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્યું છે. પેન્શનની સિમાઓમાં બદલાવ આવ્યા બાદ 45000 રૂપિયા મળનારુ પેન્શન હવે 1.25 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે.