ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR એ પ્લાઝ્મા થેરેપી અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ICMR એ કહ્યું કે તે નેશનલ હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી પ્લાઝ્મા થેરેપીને હટાવવાની વિચારણા કરી રહી છે. ICMR એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઘણા અભ્યાસો એ અગાઉ જણાવ્યું છે કે પ્લાઝ્મા થેરેપી મૃત્યુદર ઘટાડવા માટે ખૂબ અસરકારક પુરવાર થઈ નથી.
કોરોના સારવારમાં મહત્વપૂર્ણ મનાતી પ્લાઝમા થેરેપી અંગે નિવેદન
ભારતની ટોચની મેડીકલ સંસ્થા ICMR એ આપ્યું નિવેદન
પ્લાઝમા થેરેપીને બંધ કરવા અંગે થઈ રહી છે વિચારણા: ICMR
ICMR એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઘણા અભ્યાસો અગાઉ જણાવ્યું છે કે પ્લાઝ્મા થેરેપી મૃત્યુદર ઘટાડવા માટે ખૂબ અસરકારક નથી.આ અંગે ભારતની ટોચની મેડીકલ સંસ્થાએ જણાવ્યું હતું કે હવે તે તેને નેશનલ પ્રોટોકોલમાંથી કાઢી નાખવા માટે વિચારણા કરી રહી છે.
આ પહેલા પણ ICMR અંગે સવાલો ઉઠાવી ચૂક્યું છે
નોંધનીય છે કે ICMR આ પહેલા પણ ઘણી વખત પ્લાઝ્મા થેરેપી અંગે સવાલ ઉઠાવી ચુક્યું છે. તાજેતરમાં, તેમણે કહ્યું હતું કે કોરોના ની સારવારમાં પ્લાઝ્મા ઉપચારને બદલે, એન્ટિસેરાને હવે વિકલ્પ તરીકે વાપરી શકાય છે. ICMR એ દાવો કર્યો હતો કે કોરોના ઉપચાર માટે પ્રાણીના લોહીના સીરમનો ઉપયોગ કરીને તેમણે ખૂબ શુદ્ધ એન્ટિસેરા બનાવ્યો છે.
ICMR વૈજ્ઞાનિક ડો લોકેશ શર્માએ જણાવ્યું હતું કે એન્ટિસેરા પ્રાણીઓનો બ્લડ સીરમ છે, જેમાં ચોક્કસ એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ હોય છે. તેઓનો ઉપયોગ અમુક રોગોની સારવારમાં થાય છે.
કોરોના કાળમાં ચર્ચામાં આવી હતી પ્લાઝમા થેરેપી
કોરોના કટોકટી દરમિયાન પ્લાઝ્મા થેરેપી ખૂબ ચર્ચામાં આવી હતી. કોરોનાથી સાજા થયેલા દર્દીઓના શરીરમાંથી લેવામાં આવેલ પ્લાઝ્મા કોરોનાના પોઝિટીવ દર્દીઓના શરીરમાં ચડાવવામાં આવે છે. જે તે દર્દીના શરીરમાં કોરોના સામે લડવા એન્ટિબોડીઝ બનાવે છે.
કોરોના વાયરસની સારવાર માટે વિશ્વના બીજા ઘણા દેશોમાં પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત સિવાય અમેરિકા, સ્પેન, દક્ષિણ કોરિયા, ઇટાલી, તુર્કી અને ચીન સહિતના ઘણા દેશોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.