બદલતા સમય સાથે લગ્ન અને રિલેશનશિપને લઈને પણ લોકોના વિચારો બદલી રહ્યા છે. મોર્ડન વર્લ્ડની ઘણી છોકરીઓ એકલી રહીને જીવન વિતાવવા માંગે છે અને એમાંની જ એક છે, 'દિયા ઔર બાતી હમ' ની અભિનેત્રી. ટીવી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પોતાની સાથે જ લગ્ન કરી લીધા અને સાથે જ વિડીયો અને તસવીરો દ્વારા થોડી વાતો પણ શેર કરી હતી.
પોતાની સાથે જ કરી લીધા લગ્ન
'દિયા અને બાતી હમ' સિરિયલથી ફેમસ થયેલ કનિષ્ક સોનીએ હાલ જ તેની તસવીરો સોશ્યલ મડિયા પર શેર કરી હતી. એ તસવીરોમાં તે માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી. કનિષ્કા સોનીની તસવીરો જોઈને તેના ફેન્સ ચોંકી ગયા હતા. તસવીર શેર કરતાં કનિષ્કે એક એવું કેપ્શન પણ લખ્યું હતું, જેને વાંચીને લોકો અચંબિત થઈ ગયા હતા. હાલ આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ તસવીર શેર કરતાં કનિષ્કાએ લખ્યું હતું કે, 'મેં ખુદ સાથે લગ્ન કરી લીધા છે. હું મારા બધા સપના મારી જાતે જ પુરન કરીશ અને હું એક માણસ સાથે પ્રેમમાં છું અને એ હું પોતે જ છું. મને કોઈ પુરુષની જરૂર નથી. હું મારા ગિટાર સાથે હંમેશા એકલી અને એકાંતમાં ખુશ રહીશ. હું દેવી છું, હું મજબૂત અને શક્તિશાળી છું. શિવ અને શક્તિ બંને મારી અંદર જ છે.'
ફેન્સ પણ ચોંકી ગયા
હાલ સોશ્યલ મડિયામાં ચારેતરફ કનિષ્કાની એ જ તસવીરો છવાયેલી છે અને તેના ફેન્સ દરેક જગ્યા પર તેની જ ચર્ચા કરી રહ્યા છે. ઘણા લોકો કનિષ્કાના આ પગલાંને હિંમતભર્યું કહે છે અને ઘણા લોકો તેનો મજાક પણ બનાવી રહ્યા છે.
કનિષ્ક સોની એ 'દિયા ઔર બાતી હમ', 'પવિત્ર રિશ્તા' અને 'દેવી આદિ પરાશક્તિ' જેવી ઘણી સિરિયલમાં કામ કર્યું છે. દિયા ઔર બાતી હમ' અને 'પવિત્ર રિશ્તા' સિરિયલથી કનિષ્કાએ નામ કમાયું હતું.