બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / husband and wife commits suicide with 3 children in tharad narmada canal

અરેરાટી / ત્રણ બાળકો લઈને માતા-પિતાએ થરાદની મુખ્ય કેનાલમાં પડતું મૂક્યું, બે મૃતદેહ મળ્યા; અન્યની શોધખોળ શરૂ

Parth

Last Updated: 02:56 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં એક જ પરિવારના પાંચ લોકોએ એકસાથે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. જેમાંથી 2 બાળકોના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા છે.

  • થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આત્મહત્યા
  • પતિ-પત્ની અને ત્રણ બાળકોએ આત્મહત્યા કર્યાની આશંકા
  • કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા, અન્યની શોધખોળ

બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. એકસાથે 5 લોકોએ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકોએ આત્મહત્યા કર્યાની આશંકા સેવાઇ રહી છે. જોકે, કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હાલમાં અન્ય મૃતદેહોની શોધખોળ શરૂ છે. હાલમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા છે તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે મહિલા દેથળી ગામની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

ગુજરાતમાં આપઘાતનું વધતું પ્રમાણ 

બીજી તરફ આજી ડેમ પાસે કિસાન ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં એક કામદારે આપઘાત કર્યો છે. ધંધો બરાબર ન ચાલતો હોવાથી આર્થિક ભીંસમાં આવી જતાં કારખાનાદારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. 

આવી જ બીજી દુર્ભાગ્યપૂર્ણ ઘટના વડોદરાથી પણ સામે આવી રહી છે જેમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ એક યુવતીએ ફાંસો ખાઈને આપઘાત કર્યું હોવાની ઘટના સામે આવી છે, ચોંકાવનરી બાબત છે કે 19 વર્ષની યુવતીના હજુ 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા, પરિજનોનો આરોપ છે કે તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ