અભિનેતા રિતિક રોશનની ઝોમાટો કંપની માટેની એડમાં મહાકાળની થાળીને લઈને વિવાદ ઊભો થયો છે. પૂજારીઓએ કંપનીને ચેતવણી પણ આપી છે.
રિતિક રોશનની ઝોમાટો માટેની એડ પર ઊભો થયો વિવાદ
મહાકાળની થાળીને લઈણએ ચાલ્યો વિવાદ
પૂજારીઓએ કરી માફીની માંગ
રિતિક રોશનની ઝોમાટો માટેની એડ પર ઊભો થયો વિવાદ
બૉલીવુડ એક્ટર રિતિક રોશન પોતાની નવી એડને લઈણએ વિવાદોમાં ફસાયા છે. એડ ઑનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોની છે. રિતિક આ એડમાં ઉજ્જૈનનાં મહાકાળેશ્વર મંદિરની વાત કરતાં જોવા મળ્યા હકે, જેના પર વિવાદ શરૂ થયો છે. રિતિકની નવી એડ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.
શા માટે થયો રિતિકની એડ પર વિવાદ?
ઝોમાટોની નવી એડમાં રિતિક કહી રહ્યા છે કે માંને ભૂખ લાગી હતી તો મેં મહાકાળથી થાળી મંગાવી લીધી. ઉજ્જૈન મહાકાળેશ્વર મંદિરનાં નામ પર રિતિક રીક્ષણની એડનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે.
ઝોમેટોની એડમાં રિતિક ઘણા નાના-મોટા શહેરોનાં નામ લે છે. આમાંથી જ એક એડમાં ઉજ્જૈનનો પણ ઉલ્લેખ આવે છે, જેમાંઆ રિતિક ફૂડ ડિલિવરી બોય પાસેથી પેકેટ લીધા બાદ કહ છે કે થાળીનું મન થયું, ઉજ્જૈનમાં છે, તો મહાકાળથી મંગાવી લીધી. રિતિકની આ એડ પર વિવાદ ઊભો થયો છે.
રિતિકની એડ પર પૂજારીઓએ જતાવી આપત્તિ
ઑનલાઇન ફૂડ ડિલિવરી કરનાર ઝોમાટો કંપની માટે રિતિક રોશને જે એડ કરી છે, તેમાં રિતિક એમ કહેતા જોવા મળે છે કે થાળીનું મન કર્યું, તો ઉજ્જૈનનાં મહાકાળથી માંગવી લીધી. એડનો વિડીયો સામે આવ્યા બાદ મહાકાળ મંદિરનાં પૂજારી આ એડનો વિરોધ કરી રહ્યા છે.
પૂજારીઓનો આરોપ છે કે મહાકાળ મંદિરથી આ પ્રકારે કોઈ થાળી આખા દેશમાં તો શું ઉજ્જૈનમાં પણ દિલીવર ન થઈ શકે, માત્ર શ્રદ્ધાળુઓને મંદિરનાં સામેના ક્ષેત્રમાં નિઃશુલ્ક આપવામાંઆ આવે છે.
માફીની થઈ રહી છે માંગ
રિતિક રોશનની આ એડથી શ્રદ્ધાળુઓ ભ્રમિત થઈ રહ્યા છે. પૂજારીઓએ રિતિક રોશન અને કંપની પાસે માફી માંગવાની માંગ કરી છે. આ વિવાદ પર કલેકટર આશિષ સિંહે જણાવ્યું કે આ મામલો મારા ધ્યાનમાં આવ્યો અને આ માટે તપાસ કરાવી રહ્યા છીએ. આ વિડીયો લોકોને ભ્રમિત કરે છે.
મંદિરનાં પૂજારીએ કંપનીને આપી ચેતવણી
ઉજ્જૈન મહાકાળનાં પૂજારીએ કહ્યું કે જે કંપની દેશનાં ગ્રાહકોને વેજ અને નોન વેજ ફૂડ્સની ઑનલાઇન ડિલિવરી કરે છે, તે લોકોને તત્કાળ મહાકાળનાં નામની થાળીની ભ્રમક એડ કરવાનું બંધ કરે નહીંતર પૂજારી સંઘ તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે. પૂજારીઓનું કહેવું છે કે કંપની હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને અમે તેનો વિરોધ કરી છીએ. કંપનીએ માફી ન માંગી તો અમે કોર્ટ જઈશું.
ઉજ્જૈન મહાકાળ મંદિર સમિતિનાં આદ્યાક્ષ કલેકટર આશિષ સિંહે પણ આ એડને ફેક્ટ વિનાની અને બરમીટ કરનાર જણાવી છે. તેમણે કહ્યું કે મહાકાળ મંદિરમાં માત્ર અન્ન ક્ષેત્રમાં જ પ્રસાદ ગ્રહણ કરી શકાય છે અને અહીંથી કોઈપણ થાળી મોકલવામાં આવતી નથી.