આજના જીવનમાં દરેકને સ્લીમ અને ફિટ શરીરની ઇચ્છા હોય છે. શરીર વધાવને કારણે લોકો જીમ તરત દોડવા લાગે છે. જ્યાં સુધી તેમના માથા પર જીમનું ભૂત સવાર છે ત્યાં સુધી તે સ્લીમ થઇ શકતા નથી પરંતુ બહું ઓછા લોકોને ખબર હશે કે શરીરની સંરચના કુંડળી આધારિત હોય છે.
ચંદ્રમાં ગુરૂ અને શુક્ર આ 3 ગ્રહો શરીરમાં રહેલી ચરબીને નિયંત્રિત કરે છે. તો આજે અમે આપને ગુરૂવારે કરવાના કેટલાક નિયમો વિશે જણાવીશું કે જેના દ્વારા વ્યક્તિ પોતાના શરીરની સ્થૂળતાને દૂર કરી શકે છે. દરેક વ્યક્તિ સ્વસ્થ અને સુંદર દેખાવા માટે અથાગ પ્રયાસો કરે છે પરંતુ ગુરૂવાર તેના માટે દુશ્મન સમાન હોય છે.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગના લોકો પર ગુરૂનો અશુભ પ્રભાવ હોય છે. જો કે એવા લોકોનું શરીર વધી જાય છે જે લોકોએ કેટલાય નુસ્ખા અપનાવ્યા બાદ પણ શરીર ઘટાડી નથી શકતા. અમે આપને આજે એવા ઉપાય વિશે જણાવીશું જેના દ્વારા સરળતાથી વ્યક્તિ પોતાની સ્થૂળતા ઘટાડી શકે છે.
- સ્થૂળતા ઘટાડવા અગિયારસનું વ્રત કરવું જોઇએ.
- જમતી વખતે લીંબૂ અને દહીં ફરજીયાત ખાવું.
- રોજ ગુરૂના મંત્રનો જાપ કરવો જોઇએ. જેના કારણે ગુરૂની અશુભ અસર ઝડપથી ઓછી થશે.
- આ સાથે જ ગુરૂવારના રોજ પીળા કપડાં પહેરવા જોઇએ.
- આ દિવસે પીળી ચીજનું દાન કરવું જોઇએ.
- આ ઉપાયનો પોતાના જીવનમાં ઉપયોગ કરવાથી તમામ તકલીફ દૂર થશે આ સાથે જ શરીની ચરબી પણ ઓછી થશે.