નામ ફક્ત અક્ષર નહીં પણ સૌભાગ્ય, સારી હેલ્થ અને રૂપિયાની કુંજી છે તો તેના માટે નામકરણ સમયે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
બાળકના નામકરણમાં રાખો આ વાતનું ધ્યાન
જ્યોતિષની વાત નહીં માનો તો થશે નુકસાન
12 રાશિ માટે અલગ અલગ અક્ષર અપાયા છે
જો તમે નવા નવા માતાપિતા બન્યા છો તો તમારે બાળકોના નામને લઈને યોગ્ય જગ્યા, સૌથી મોટો સોર્સ ઈન્ટરનેટને માનવામાં આવે છે. પણ આ વિચારવું યોગ્ય નથી.
નામ ફક્ત અક્ષર નથી
નામ ફક્ત અક્ષર નથી પણ સૌભાગ્ય છે. સારી હેલ્થ, રૂપિયા વગેરેની કુંજી છે. અંક જ્યોતિષમાં નામને મહત્વ અપાયું છે. તેમાં નામનો પહેલો અક્ષર મહત્વ ધરાવે છે. સાથે જ જન્મ સમયની રાશિમાં ચંદ્રને સ્થાનને જોતા બાળકનું નામ નક્કી કરાય છે.
જ્યોતિષમાં દરેક 12 રાશિ માટે અલગ અલગ અક્ષર નક્કી કરાયા છે. આ અક્ષરના અધારે નામ રાખવામાં આવે છે. જન્મના 10માં દિવસે બાળકોના નામને જન્મના નક્ષત્રના અનુસાર પસંદ કરવામાં આવે છે.
કયા કયા દિવસે કરાય છે નામકરણ સંસ્કાર
બાળકો જન્મે ત્યારથી 10મા દિવસે, 12મા દિવસે, 16 મા દિવસે નામકરણ સંસ્કાર કરાય છે. આ દિવસોમાં આ સંસ્કાર ન કરાય તો કોઈ પણ પાવન દિવસે તેને સંપન્ન કરાય છે. હિંદુ ધર્મમાં નામકરણ સંસ્કારના દિવસો નક્ષત્રો કે બર્થ સ્ટારના આધારે જ્યોતિષ દ્વારા નક્કી કરાયેલી રાશિ અનુસાર નામ રાખવામાં આવે છે. જો તમે બર્થ સ્ટાર જાણો છો તો વૈદિક જ્યોતિષમાં સૂચવેલા અક્ષરોના આધારે બાળકના નામનું સૂચન કરવામાં આવે છે.
નામકરણ માટે આ નક્ષત્રો ઉત્તમ મનાય છે
જ્યારે પણ તમે બાળકનું નામકરણ કરો છો ત્યારે યાદ રાખો કે નામકરણ સંસ્કાર માટે અનુરાધા, પુનર્વસુ, માધ, ઉત્તરા, ઉત્તરાષાઢા, ઉત્તરભાદ્ર, શતભિષા, સ્વાતિ, ઘનિષ્ઠા, શ્રવણ, રોહિણી, અશ્વિની, મૃગશિર, રેવતી, હસ્ત અને પુષ્ય નક્ષત્રોને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યના અનુસાર નામકરણ સંસ્કાર માટે ચંદ્ર દિવસના ચોથા, છઠ્ઠા, આઠમા અને નવમા તથા બારમાં અને 14 મા દિવસની તિથિ ઉત્તમ માનવામાં આવે છે. પૂર્ણિમા અને અમાસની તિથિના દિવસે નામકરણ ભૂલથી પણ કરવું નહીં.