રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉતે બળવાખોરો પર નિશાન સાધ્યું તો ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે વચ્ચે મુલાકાતના અહેવાલ
રાજકીય સંકટ વચ્ચે રાઉતે બળવાખોરો પર નિશાન સાધ્યું
ક્યાં સુધી ગુવાહાટીમાં છુપાશો.. ચૌપાટીમાં આવવું પડશે
ભાજપને સરકાર બનાવવામાં કોઇ ઉતાવળ નહી
મહારાષ્ટ્રના રાજકારણમાં દિવસેને દિવસે ગરમાવો આવી રહ્યો છે. આ તરફ ફરી એકવાર રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉતે બળવાખોરો પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'ક્યાં સુધી ગુવાહાટીમાં છુપાશો.. ચૌપાટીમાં આવવું પડશે'. નોંધનીય છે કે, ભાજપ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે વચ્ચે મુલાકાતના અહેવાલ હતા.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથ વતી બાળાસાહેબના નામે અલગ પાર્ટીનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે. આ બધાની વચ્ચે હવે સંજય રાઉતે ફરી એકવાર બળવાખોરો પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'ક્યાં સુધી ગુવાહાટીમાં છુપાશો.. ચૌપાટીમાં આવવું પડશે'.
ભાજપને સરકાર બનાવવામાં કોઇ ઉતાવળ નહી
ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાની ઉતાવળમાં નથી. વાસ્તવમાં શિવસેનાના આંતરિક સંઘર્ષના પરિણામોના આધારે ભાજપ નક્કી કરશે. હાલમાં, ભાજપ શિવસેના તેના સંઘર્ષને મહાનગરપાલિકા, મ્યુનિસિપલ સંસ્થાઓ અને શહેરોના સ્તરે લઈ જાય તેની રાહ જોઈ રહ્યું છે.
આદિત્ય ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો અને ભાજપ પર નિશાન સાધ્યું
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો અને ભાજપ પર નિશાન સાધ્યું. "અમારા ધારાસભ્યોને બળજબરીથી આસામ લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમના પર દરરોજ નવ લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જ્યારે આસામમાં પૂરના કારણે લાખો લોકો પરેશાન છે. તેઓ પોતાના પર છોડી દેવામાં આવ્યા છે. આ તરફ એવા અહેવાલ છે કે, શનિવારે મોડી રાત્રે આસામના મંત્રી અશોક સિંઘલ પણ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે અસલી શિવસેનાને લઈને પણ વિવાદ ઉભો થયો છે.