5,640 દર્દીઓ ડિસ્ચાર્જ કરાતા 810 દર્દીઓમાં તફાવત જોવા મળ્યો
અમદાવાદમાં અસારવા સિવિલની કિડમાં હોસ્પિટલમાં લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે શહેરના એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હોસ્પિટલમાં નવા દર્દીઓ અને ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની આંકડામાં વિસંગતતા જોવા મળતા હોસ્પિટલની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
એડમિટ થયેલા દર્દીઓ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ
સુચિત્રા પાલે નામની મહિલા નાગરિકે RTI કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી તે અંગે માહિતી માગવામાં આવતા કિડની વિભાગના આંકડાઓમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધારે જણાતા હોસ્પિટલની લાલીયાવાડી સામે આવી રહી છે.
કિડની હોસ્પિટલમાં માર્ચ થી ડિસેમ્બર 2020માં 5,114 દર્દીઓ દાખલ થયા હતા જેની સામે 5,640 દર્દીઓ ડિસ્ચાર્જ અને 284 દર્દીઓના મૃત્યુ પામ્યા જેમાં 810 દર્દીઓનો લઈ તફાવત સામે આવતા હોસ્પિટલની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે
5,640 દર્દીઓ ડિસ્ચાર્જ કરાતા 810 દર્દીઓમાં તફાવત જોવા મળ્યો
આ તરફ જાન્યુઆરી થી એપ્રિલ 2021ના સમય ગાળા દરમિયાન 2,849 દર્દીઓ દાખલ થયા હતા. જેની સામે 3,154 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા અને 104 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ સમયગાળામાં પણ 409 દર્દીઓના આંકડાનો તફાવત સામે આવ્યો છે.
કિડની વિભાગના આંકડાઓમાં વિરોધાભાસ
જ્યારે માર્ચ 2018 થી માર્ચ 2019 સુધી કુલ 12,043 દર્દી દાખલ થયા હતા.તેમજ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12,197 અને મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 563 હતી તેને લઈ હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે
સિવિલ કિડની હોસ્પિટલમાં ક્યારથી ચાલે છે લોલમલોલ?
હોસ્પિટલોમાં દર્દીઓના આંકડા છુપાવવા મામલે તેમજ દર્દીઓની સંખ્યમાં વિસંગતતા જોવા મળતા અસારવા સિવિલ, યુ.એન.મહેતા, ટીબી હોસ્પિટલ મુદ્દે માહિતી માંગી હતી પરંતું તેના દર્દીઓના ડેટા આપવાનો ઈન્કાર કરી દીધો હતો...