આફ્રિકામાં થયેલા પરીક્ષણ બાદ WHOએ વિશ્વની પહેલી મેલેરિયા વેક્સીનને મંજૂરી આપી.વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ વેક્સીન લગાવ્યા બાદ મેલેરિયા સામે લડવાની ક્ષમતા લગભગ 77 ટકા જેટલી બનશે
આફ્રિકી વૈજ્ઞાનિકોએ શોધી મેલેરિયા વિરોધી રસી
આફ્રિકામાં લગભગ 450 બાળકો પર કરાયું પરિક્ષણ
WHOએ આ વેક્સીનને આપી મંજૂરી.
આફ્રિકામાં થયેલા પરીક્ષણ બાદ WHOએ વિશ્વની પહેલી મેલેરિયા વેક્સીનને મંજૂરી આપી દીધી છે.વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ વેક્સીન લગાવ્યા બાદ મેલેરિયા સામે લડવાની ક્ષમતા લગભગ 77 ટકા જેટલી બની જશે.અને આનું પરિક્ષણ છેલ્લા એક વર્ષમાં લગભગ 450 બાળકો પર થઇ ચુક્યું છે.ગ્લેક્સોસ્મિથકલાઈન નામની કંપની દ્વારા બનવવામાં આવેલી મોસ્ક્રિરિક્સ નામની રસીથી હજારો જીવ બચી જવાની સંભાવનાઓ છે.
આફ્રિકામાં થયું બાળકો પર પરિક્ષણ
આ બીમારીનું પરિક્ષણ આફ્રિકામાં એટલા માટે કરવામાં આવ્યું કે, અહીના દેશોમાં દર વર્ષે હજારો બાળકો આ બીમારીથી મોતને ભેટે છે.WHOના મહાનિર્દેશક ટ્રેડોસ અથનોમ ગ્રેબ્રયેસીસ એ સંયુક્ત રાષ્ટ્રના બે સલાહકાર સમૂહના સમર્થન બાદ આ વેક્સીનને મંજૂરીની ઘોષણા કરી અને આને ઐતિહાસિક ઘડી ગણાવી છે.તેઓએ કહ્યું કે, આ વેક્સીનને આફ્રિકામાં આફ્રિકી વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે.અને અમોને તેમના પર ગર્વ છે.મેલેરિયાનો સચોટ ઉપાય શોધવાનાં પ્રયત્નો 80 વર્ષોથી ચાલી રહ્યા છેઅને છેલ્લા 60 વર્ષોથી રસી અંગે સંશોધન ચાલી રહ્યું છે પરંતુ 80 ના દસકામાં એ વાત સામે આવી કે,મેલેરિયાનાં મચ્છરના પ્રોટીનથી વેક્સીન બનાવી શકાય છે.ત્યારથી અત્યાર સુધી વેક્સીન બનાવવાનાં પ્રયત્નો જારી હતા,પણ 2019માં કેટલાય ચરણના ટ્રાયલ પછી સ્પષ્ટ થયું કે, મેલેરિયાની વેક્સીન અકસીર છે. હવે તેને માન્યતા મળી ચુકી છે.
ભારતમાં ઓડીસા, છતીસગઢ અને પશ્ચિમ બંગાળ વધુ પ્રભાવિત
ભારતમાં 2016ની સરખામણીએ 2017માં મેલેરીયાના લગભગ 24 ટકા કેસમાં ઘટાડો નોંધાયો છે,પરંતુ આ વેક્સીન આવ્યા બાદ મેલેરિયાને કાબુમાં કરવાની સંભાવનાઓ ખુબ વધી ગઈ છે.એક અહેવાલ પ્રમાણે ઓડીસા,છતીસગઢ, અને પશ્ચિમ બંગાળમાં હજુ પણ મેલેરીયા અસરગ્રસ્ત રાજ્યો છે.જ્યાં એક હદ સુધી આવેલા બીમારને હિમોગ્લોબીનની ખામી વર્તાય છે અને તે એનિમિક થઇ જાય છે.હવે આનાથી બચી શકાશે.
આવી રીતે અટકશે મેલેરિયાથી મોત
WHOએ મેલેરિયાની રસી મોસક્રિરિક્સણે મંજૂરી આપી દીધી છે.મચ્છરોની લગભગ 460 જેટલી પ્રજાતીમાથી 100 જેટલી પ્રજાતિ મનુષ્યમાં મેલેરિયા સંક્રમણ ફેલાવી શકે છે.મચ્છરોના કરડવાથી શરીરમાં પેરાસાઈટ પ્લાજ્મોડીયમ ફાલ્સીફેરમ સંક્રમણ ફેલાય છે. પરંતુ,WHOણી રસી લેવાયા બાદ શરીરમાંથી મેલેરિયા સંક્રમણ બેહદ ઓછું થઇ જશે.અને દરદી ગંભીર સ્થિતિ તરફ ધકેલાતા બચી જશે. પરિણામે મોત નિવારી શકાશે.