આજે અમે અહીં આપને ઘૂંટણના દુઃખાવવામાંથી રાહત આપનારા 2 ઘરેલૂ ઉપાયો જણાવી રહ્યા છીએ. જે તમને તરત જ આ દર્દથી છૂટકારો અપાવશે.
અપનાવી લો આ 2 દેશી નુસખા
રાતો રાત ગાયબ થઈ જશે ઘૂંટણનું દર્દ
સરળ છે આ ખાસ ગણાતા ઘરેલૂ ઉપાય
ઘૂંટણમાં દર્દ રહેવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ દર્દના કારણે દર્દી ચાલવાથી લઈને ઉઠવા બેસવામાં પણ મુશ્કેલી અનુભવે છે. આ સિવાય અનેક પ્રકારની બીમારીઓ પણ શરીરમાં ઘર કરે છે. ઘૂંટણના દર્દીની સમસ્યા રમત ગમત સાથે સંકળાયેલા લોકો અને વૃદ્ધ વ્યક્તિઓને વધારે રહે છે. તો જાણો કયા કારણોના લીધે થાય છે ઘૂંટણનું દર્દ.
આના કારણે થાય છે ઘૂંટણનું દર્દ
મુખ્ય રીતે વાત કરવામાં આવે તો ઘૂંટણનું દર્દ ટેંડઇનાઈટિસ, ગાઉટ, ઓસ્ટિયોઆર્થરાઈટિસ, બેકર્સ સિસ્ટ, બર્સાઈટિસ જેવી મેડિકલ કંડીશનના કારણે થાય છે. આ સિવાય રમત ગમત સમયની કોઈ દુર્ઘટનાના કારણે પણ આ દર્દની સમસ્યા કાયમ માટે રહી શકે છે. તો જાણો કયા ઘરેલૂ નુસખાની મદદથી તમે આ દર્દમાંથી ચપટીમાં રાહત મેળવી શકો છો.
સફરજનના વિનેગરનો કરો ઉપયોગ
સફરજનના વિનેગરમાં અનેક ઔષધિય ગુણો હોય છે જે તમારી હેલ્થ માટે પણ પ્રભાવી રીતે ફાયદારૂપ સાબિત થાય છે. એક ચમચી સફરજનનું વિનેગર ગરમ પાણીની સાથે મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. તેમાં દર્દ નિવારણ ગુણ હોય છે જે ઘૂંટણના દર્દને દૂર કરવામાં અસરકારક રહે છે. આ સાથે આ ઉપાય દિવસમાં 2 વાર કરવાથી લાભ થાય છે. ધ્યાન રાખો આ ઉપાય જમવાનું જમતા પહેલા કરવાનો છે.
લીંબુ અને તલના તેલનો ઉપાય
એક લીંબુ લો અને તેને કાપીને તેનો રસ કાઢી લો. હવે તેમાં 2 ચમચી તલનું તેલ મિક્સ કરો. બંનેને મિક્સ કર્યા બાદ હાથથી આ તેલની મદદથી ઘૂંટણની માલિશ કરો. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ ચાલવાની આદત રાખો. આ દેશી ઉપાયને ટ્રાય કરવાથી તમને દર્દમાં રાહત મળશે. લીંબુમાં એન્ટી ઈન્ફ્લેમ્ટરી ગુણ હોવાથી ઘૂંટણમાં થતા સોજાને ઘટાડવામાં મદદ મળે છે.
ધ્યાન રાખો કે ગંભીર મેડિકલ કંડીશન હોવાના કારણે તમે આ દેશી નુસખાનો ફાયદો મેળવી શકશો નહીં. તમારે મેડિકલ ટ્રીટમેન્ટ તો લેવી જ પડશે.