અમિત શાહ પોતાના કાશ્મીરના 3 દિવસના પ્રવાસ દરમિયાન સુરક્ષા સ્થિતિનું નિરિક્ષણ કરશે. આ ઉપરાંત જમ્મુ કાશમીરમાં સુરક્ષા કેટલી મજબુત કરવામાં આવી છે તેનું પણ પ્લાનિંગ થશે. આ મહિનાના અંત સુધી આતંકી 11 નિર્દોષોને મારી ચૂક્યા છે. અનેક વર્ષો બાદ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યારે આતંકીઓ સામાન્ય માણસોને નિશાનો બનાવવાનું શરુ કર્યુ છે. સુરક્ષાને લઈને બેઠકો ઉપરાંત અમિત શાહ રાજ્યમાં પંચાયત સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.
અમિત શાહ પહેલા જમ્મુ પહોંચશે અને પછી કાશ્મીર જશે
જમ્મુ કાશ્મીરના ભાજપા નેતા સુનીલ શર્માએ કહ્યું કે અમિત શાહ પહેલા જમ્મુ પહોંચશે અને પછી કાશ્મીર જશે. શાહના આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લાધ્યક્ષોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તે જમ્મુમાં પાર્ટીની એક રેલીને પણ સંબોધિત કરશે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ટકાવ્યા બાદથી શાહનો આ પહેલો પ્રવાસ છે. આની પહેલા તે જૂન 2019માં કાશ્મીર પ્રવાસ પર ગય હતા. જ્યારે ભાજપે ફરી સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને દિલ્હીમાં જમ્મૂ- કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને અન્ય વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
અમિત શાહના પ્રવાસને જોતા ઘાટીની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી
આ દરમિયાન અમિત શાહના પ્રવાસને જોતા ઘાટીની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ ચેકિંગને વધારી દીધું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આતંકવાદીઓનું દુસ્સાહસ વધ્યું છે તો બીજી તરફ સુરક્ષા દળોએ હાજરી દર્શાવતા તેજીથી આતંકીઓને પહોંચી વળ્યા છે. આ મહિનામાં અત્યાર સુધી 17 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. આમાંથી અનેક આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા હતા.
રાજૌરી- પુંછ સેક્ટરના ગાઢ જંગલોમાં સેના ગત લગભગ 12 દિવસોથી ઓપરેશન ચલાવી રહી છે. અહીં લશ્કર એ તૈયબાના આતંકિઓના છુપાયેલા હોવાની આશંકા છે. આ ઉપરાંત એનઆઈએએ પણ આતંકવાદીઓની મદદ કરવાના આરોપમાં 13 લોકોને અરેસ્ટ કર્યા છે.