પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પહેલા અલગાવવાદના મુદ્દે ગરમાવો આવી ગયો છે. AAPના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના દાવાએ રાજકારણમાં હડકંપ લાવી દીધો છે.
અરવિંદ કેજરીવાલ પર લાગેલા આરોપોની તપાસ કરાવશે કેન્દ્ર સરકાર
CM ચન્નીના પત્રનો અમિત શાહે આપ્યો જવાબ
કેજરીવાલ પરના નિવેદનને લઇને કુમાર વિશ્વાસ અડગ
કેજરીવાલનું સપનુ પંજાબની સતા મેળવવાનુંઃ PM મોદી
કુમાર વિશ્વાસે કેજરીવાલ અલગાવવાદના સમર્થનમાં હોવાનો અને સ્વતંત્ર ખાલિસ્તાનના PM બનવાની ઇચ્છા હોવાનો દાવો કર્યો છે. કુમાર વિશ્વાસના દાવાથી મતદાન પહેલા પંજાબમાં ચૂંટણીનો મુદ્દો બદલાઇ ગયો છે. કુમાર વિશ્વાસના દાવાની ગંભીરતાને જોતા CM ચન્નીએ પણ PM મોદીને પત્ર લખીને આ મામલે તપાસની માગ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીના પત્રનો જવાબ આપતા આમ આદમી પાર્ટી અને પ્રતિબંધિત સિખ ફૉર જસ્ટિસ વચ્ચે કથિત સંબંધોની તપાસ કરાવવાનું વચન આપ્યું છે. ગુરૂવારે સીએમ ચન્નીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે આ માંગ કરી હતી.
PMએ તમામ પંજાબીઓની ચિંતા દૂર કરવાની જરૂર: CM ચન્ની
ચન્નીએ એક ટ્વીટ કરીને લખ્યું કે, પંજાબના મુખ્યમંત્રી તરીકે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે હાલમાં જ કુમાર વિશ્વાસે જે કહ્યું છે, આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. સાથે જ કહ્યું કે, રાજનીતિ એક તરફ, પંજાબના લોકોએ અલગાવવાદથી લડતા ભારે કિમત ચૂકવી છે. પીએમએ તમામ પંજાબીની ચિંતા દૂર કરવાની જરૂર છે.
As CM of Punjab, I request Hon'ble PM @narendramodi Ji to order an impartial enquiry in the matter of @DrKumarVishwas Ji’s video. Politics aside, people of Punjab have paid a heavy price while fighting separatism. Hon’ble PM needs to address the worry of every Punjabi. pic.twitter.com/aoSwie55yx
ભારત સરકારે આને અત્યંત ગંભીરતાથી લીધું છેઃ અમિત શાહ
જેના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ચન્નીને લખ્યું છે, એક રાજકીય પાર્ટીનું દેશ વિરોધ, અલગાવવાદી અને પ્રતિબંધિત સંસ્થા સાથે સંપર્ક રાખવા અને ચૂંટણીમાં મદદ મેળવવી દેશની અખંડતાના દ્રષ્ટિકોણથી અત્યંત ગંભીર છે. આ પ્રકારના તત્વોનો એજન્ડા દેશના દુશ્મનોના એજન્ડાથી અલગ નથી. આ અત્યંત નિંદનીય છે કે સત્તા મેળવવા માટે આવા લોકો અલગાવવાદિઓ સાથે હાથ મેળવવાને લઇને પંજાબ અને દેશને તોડવા સુધી જઇ શકે છે.
ગૃહમંત્રી શાહે વધુમાં લખ્યું કે, આ વિષય પર હું તમને વિશ્વાસ અપાવું છું કે, દેશની એકતા અને અખંડતાથી છેડછાડ કરવાની કોઇને મંજૂરી નહીં આપવામાં આવે. ભારત સરકારે આને અત્યંત ગંભીરતાથી લીધું છે અને હું ખુદ આ મામલે ઊંડાણપૂર્વક દેખરેખ રાખીશ.
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, અરવિંદ કેજરીવાલે તેમને કહ્યું હતું કે, એક દિવસ અથવા તો તે પંજાબના મુખ્યમંત્રી બનશે અથવા તો એક સ્વતંત્ર રાષ્ટ્ર(ખાલીસ્તાન)ના પહેલા પ્રધાનમંત્રી બનશે. ગૃહ મંત્રાલયના સૂત્રોના અનુસાર, કુમાર વિશ્વાસના હાલના નિવેદન બાદ તેમણે સશસ્ત્ર સુરક્ષાની રજૂઆત કરવામાં આવી શકે છે.
#WATCH | Poet & former AAP leader Kumar Vishwas alleges AAP chief Arvind Kejriwal was supportive of separatists in Punjab
"One day, he told me he would either become CM (of Punjab) or first PM of an independent nation (Khalistan)," Vishwas says. pic.twitter.com/5ccGs9jNn3
કુમાર વિશ્વાસે પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, મેં જે કહ્યું તે સત્ય બોલ્યું. હું કોઇની ધમકીથી નથી ડરતો. કોઇ પણ ચેનલ પર કોઇ પણ સ્થળે હું પુરાવા આપવા તૈયાર છું. ચેનલને ધમકી કેમ આપે છે. રાજ્યસભાની બેઠકો કેવી રીતે વેંચી તે સવાલ કેમ ન પૂછ્યા? કેજરીવાલને સવાલ કેમ નથી કરતા?
કેજરીવાલનું સપનુ પંજાબની સતા મેળવવાનુંઃ PM મોદી
કુમાર વિશ્વાસના નિવેદનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ હતું કે સત્ય સામે આવી રહ્યું છે. ખરેખર કેજરીવાલનું સપનુ કોઇપણ રીતે પંજાબની સતા મેળવવાનું છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે "અરવિંદ કેજરીવાલે મને જણાવ્યું હતું કે મારે પંજાબનો મુખ્યમંત્રી બનવું છે કે પછી ખાલિસ્તાનનો પ્રધાનમંત્રી બની જઇશે. તો આ તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ કેજરીવાલ પર વર્ષ્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે કુમારે કેજરીવાલ પર આરોપ લગાવ્યા છે કે તેઓ દેશદ્રોહીની મદદ લે છે, કેજરીવાલે ફક્ત હા કે ના જણાવે કે કુમાર વિશ્વાસ સાચુ બોલે છે કે ખોટું તે જણાવે, કોઇનાથી ડરવાની જરૂર નથી.