હોળિકા દહન 28 માર્ચ એટલે કે આવતી કાલે એટલે કે 28 તારીખે છે. હોળિકાની અગ્નીને શક્તિશાળી માનવામાં આવે છે પરંતુ જો પૂજામાં ભૂલ થઇ જાય તો વિચારી પણ નહી શકો એટલા નુકસાન થવાની શક્યતાઓ છે.
હોળિકા દહનના દિવસે અપનાવો આ ટ્રિક
અટકેલા કામ થવા લાગશે
પૂજા વખતે ન કરવી ભૂલો
કેમ ઉજવવામાં આવે છે હોળી
પૌરાણિક માન્યતા અનુસાર હોળિકા અગ્નિમાં બધી જ મુશ્કેલીઓ અને નકારાત્મકતા બળીને ખાક થઇ જાય છે. હાળિકાની અગ્નિ સત્યની જીતનુ પ્રતિક છે. હોળિકા વિષ્ણુભક્ત પ્રહલાદના પ્રાણ લેવા માટે તેને લઇને અગ્નિમાં બેઠી હતી અને તેને ના બળવાનુ વરદાન હતુ તેમ છતાં તે બળીને ખાખ થઇ ગઇ હતી. હોળિકા દહનના દિવસે જો કોઇ વિશેષ કામ કરવામાં આવે તો તેના સારા પરિણામ મળી શકે છે.
જો તમારો બિઝનેસ સારો નથી ચાલતો તો હોળિકા દહનના દિવસે પીળા રંગના કપડામાં 11 ગોમતી ચક્ર, હળદરને કાળા કપડામાં બાંધીને એક ચાંદીનો સિક્કો બાંધીને હોળીકાની અગ્નિમાં 11 ફેરા લગાવતા પધરાવો.
હોળીના બીજા દિવસે હોળીની રાખ લાવીને તેમાં થોડી રાઇ અને આખુ મિઠુ મેળવીને તેને કોઇ વાસણમાં રાખી લો. આ વાસણને ઘરમાં કોઇ સુરક્ષિત જગ્યાએ રાખો. આ ઉપાયથી નજર દોષ અને ખરાબ સમયમાંથી મુક્તિ મળશે તેમજ પૈસાની તંગી દુર થશે.
જો તમારા બાળકોનુ મન ભણવામાં ન લાગતુ હોય તો બાળકના હાથથી નાળિયેર, પાન અને સોપારી હોળિકા અગ્નિમાં નંખાવો. તેનાથી તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.
જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો હોળિકા દહનના દિવસે નિત્યક્રમ પતાવીને સ્નાન કરી પોતાના ઇષ્ટદેવને ઇશાન કોણમાં રંગ અર્પિત કરો. આવુ કરવાથી મનને શાંતિ મળશે અને ઘરમાં ખુશહાલી બની રહેશે.
જ્યાં હોળિકા દહન થવાનુ છે તે સ્થાન પર ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસો. સર્વપ્રથમ આદિદેવ ગણેશજી તેમજ માતા ગૌરીની પૂજાનુ વિધાન હોય છે.
ओम होलिकायै नमः, ओम प्रहलादाय नमः, ओम नृसिंहाय नमः મંત્રનુ ઉચ્ચારણ કરો અને ચાર પુષ્પ અર્પણ કરવાથી તમારા પરિવાર પર દુઃખ ક્યારેય નજર નહી ઉઠાવે.