હોળી પહેલાના 8 દિવસના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળીના 8 દિવસ પૂર્વ ફાલ્ગુન માસના શુક્લ પક્ષની અષ્ટમીથી હોળાશ્ટક લાગી જાય છે જે પૂનમ સુધી ચાલુ રહે છે. એવામાં આ 8 દિવસમાં કોઇ પણ શુભ કામ કરવું જોઇએ નહીં. હોળાષ્ટકના આ 8 દિવસને વર્ષનો સૌથી અશુભ દિવસ માનવામાં આવે છે.
આ વખતે હોળાષ્ટક 23 ફેબ્રુઆરીથી શરૂ થઇને 1 માર્ચ સુધી 2018 સુધી રહેશે. એ દરમિયાન શુભ અને માંગલિક કાર્ય વર્જિત હોય છે. આમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઇ જાય છે.
માન્યતા અનુસાર ભગવાન શિવે હોળાષ્ટકના પહેલા દિવસે કામદેવને ભસ્મ કરી દીધા હતા કારણ કે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
હોળાષ્ટકને લઇને બીજી એક કહાની પણ પ્રચલિત છે. કહેવાય છે કે દૈત્ય હિરણ્યકશ્યપને ભગવાન પાસેથી વરદાન મળ્યા બાદ ભક્ત પ્રહ્લાદ પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું ફાલ્ગુન શુક્લ પક્ષ અષ્ટમીને હિરણ્યકશ્યપને ભક્ત પ્રહ્લાદને બંદી બનાવીને દુખ આપ્યા. સાથે જ હોલિકાએ પણ પ્રહ્લાદને બાળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ પોતે જ બળી ગઇ અને પ્રહ્લાદ બચી ગયા. આ 8 દિવસોમાં પ્રહ્લાદને દુખો આપવાના કારણે આ સમય હોળાષ્ટક કહેવામાં આવે છે.
ઉત્તર ભારતમાં હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે. આ સમયમાં લોકો કોઇ પણ નવું કામ શરૂ કરતાં નથી. આ 8 દિવસોમાં ગ્રહ પોતાનું સ્થાન બદલે છે. ગ્રહોના આ ફેરફારને કારણે હોળાષ્ટક દરમિયાન કોઇ પમ શુભ કામ શરૂ કરવામાં આવતું નથી.
હોળાષ્ટક આ કાર્ય બિલ્કુલ પણ કરવા જોઇએ નહીં લગ્ન ભૂમિ પૂજન ગૃહ પ્રવેશ હિંદુ ધર્મના 16 સંસ્કાર કોઇ પણ નવો વ્યવસાય અથવા નવું કામ શરૂ કરતાં બચવું જોઇએ.
હોળાષ્ટક પર થતા રીત રિવાજ હોળાષ્ટક શરૂ થવા પર બે ડંડીઓ રાખવામાં આવે છે. એમાંથી એક ડાંડી હોળીકા અને બીજી પ્રહલાદનું પ્રતિનિધિત્વ કરે છે. આ ડાંડીઓની સ્થાપના બાદ હોલિકા દહનના દિવસે કોઇ પણ શુભ કામ કરવામાં આવતું નથી.
હોળાષ્ટક મુખ્યત્વે હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ બિહાર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં મનાવવામાં આવે છે.
હોળાષ્ટક દરમિયાન કરી શકો છો આ કામ એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન કોઇ પણ જરૂરીયાતમંદમે દાન કરવું ખૂબ જ શુભ ફળદાયક માનવામાં આવે છે.
તાંત્રિકો માટે હોળાષ્ટક છે મહત્વપૂર્ણ એવો વિશ્વાસ છે કે તાંત્રિકો માટે હોળાષ્ટક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે હોળાષ્ટક દરમિયાન એમની ઊર્જા વધી જાય છે. એ દરમિયાન તાંત્રિક સાધના કરે છે.