સુરતઃ કીમ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કીમ ચાર રસ્તા પાસે સિયાલજ પાટિયા પર ટ્રક ચાલકે કાવડિયાઓને ઉડાવ્યા હતા. આ ઘટનામાં 1 કાવડિયાનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. ભરૂચ નર્મદા નદીમાંથી કાવડ ભરીને પરત સુરત તરફ ફરી રહ્યા હતા. આ દરમિયાન સિયાલજ પાટિયા પાસે અકસ્માત થયો હતો.
આ ઘટના બાદ કાવડિયાઓમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા 500 જેટલા કાવડિયાઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટના બાદ ઘટનાસ્થળેથી મૃતદેહ હટાવવાનો કાવડિયાનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા DYSP LCB SOGનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
મહત્વનું છે કે આ ટ્રક ફરી વળતા એક કાવડીયાને ઇજા પહોંચી હતી. સિયાલજ પાટિયા નજીક આશરે 500 જેટલા કાવડીયાઓએ હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. જેને લઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.