લોકોએ દિલ્હીમાં ગૌમૂત્રની પાર્ટી યોજી હતી. પાર્ટીમાં આશરે 200 લોકોએ ગૌમૂત્ર પીધું હતું. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા કોરોના વાયરસને ભગાવવાના હેતુથી આ અનોખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં યોજાઇ અનોખી પાર્ટી
કોરોનાથી બચવા લોકોએ ગૌમૂત્ર પીધું
ડોક્ટરોએ ફગાવ્યો દાવો
નોંધનીય છે કે, દુનિયા હાલ કોરોના વાયરસના ગંભીર સંકટનો સામનો કરી રહી છે પરંતુ આ પાર્ટીમાં સામેલ થનાર લોકોનું કહેવું છે કે, ગૌમૂત્ર પીનર કોરોના વાયરસને દૂર ભગાવી શકે છે.
હિન્દુ મહાસભાનું માનવું છે કે, ગૌમૂત્રમાં ઔષધીય ગુણ હોય છે. આ કારણે કોરોના વાયરસને ભગાવી શકાય છે. જો કે, તમામ ડોક્ટરે આ દાવાને ફગાવ્યો છે. આ પહેલા કેટલાક લોકો ગૌમૂત્રથી કેન્સર સારું થઇ જવાના દાવા કરતા હતા પરંતુ આ દાવામાં ચોક્કસ કોઇ વૈજ્ઞાનિક આધાર નથી.
દિલ્હીમાં ગૌમૂત્ર પાર્ટીનું આયોજન
તે જ સમયે, દિલ્હીમાં ગૌમૂત્રા પાર્ટીનું આયોજન કરનાર ઓલ ઇન્ડિયા હિન્દુ મહાસભા કહે છે કે તેઓ દેશના અન્ય ભાગોમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરશે.
એક વ્યક્તિ 21 વર્ષથી ગૌમૂત્ર પી રહ્યો છે
આ પ્રસંગે મહાસભાના વડા ચક્રપાણી મહારાજે કોરોનો વાયરસના કૈરીકેચર સાથે ઉભા રહીને તસવીરો ક્લિક કરી. ગૌમૂત્રની પાર્ટીમાં ભાગ લેનાર એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે 21 વર્ષથી ગૌમૂત્ર પી રહ્યો છે.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આપદા કરી જાહેર
આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 2 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાના ચેપનો 89 લોકો ભોગ બન્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને રાષ્ટ્રીય મહામારી જાહેર કર્યો છે. આ સાથે જ તમામ રાજ્યોની સરકાર હવે તેની સામે લડવા માટે આપત્તિ પ્રતિક્રિયા તીજોરનો ઉપયોગ કરી રહી છે.