પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવારે એક હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના ધોટકી જિલ્લાના ડાહરકી શહેરની પાસે બની છે.
પાકિસ્તાનમાં હિન્દુઓ પર વધી રહ્યા છે હુમલા
હિન્દુ વેપારીની ગોળી મારી પાકિસ્તાનમાં કરી હત્યા
આ કારણે હત્યા કરી હોવાનો લગાવ્યો આરોપ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવારે એક હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના ધોટકી જિલ્લાના ડાહરકી શહેરની પાસે બની છે. ડાહરકીથી લગભગ 2 કિમી દૂર રહેતા દહર સમુદાયના લોકો દ્વારા એક હિન્દુ વેપારીની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી હતી. હિન્દુ વેપારીની હત્યાના વિરોધમાં મંગળવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પહોંચ્યા હતાં. આ ઘટનાથી નારાજ લોકએ હાઈવને જામ કરી દીધો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જમીન વિવાદ હત્યાનું કારણ બતાવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનમાં હિન્દુ વેપારીની હત્યા
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વેપારી સતન લાલની સોમવારે ધોટકી જિલ્લામાં જમીન વિવાદને લઈને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક વેપારીના એક મિત્રએ જણાવ્યું હતું કે, સતન લાલની જમીન પર એક કપાસ ફેક્ટરી અને લોટની ચક્કીનું ઉદ્ધાટન થયું હતું. જ્યાં અમુક લોકોએ સતન લાલની ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. મિત્રએ જણાવ્યુ હતું કે, શરૂઆતમાં લાગ્યું હતું કે, આ ફાયરીંગ સમુદાયના આધ્યાત્મિક નેતા સેન સાધરામના સ્વાગત માટે કરવામાં આવી હતી. થોડા મહિના પહેલા કથિત રીતે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સતન લાલે આરોપ લગાવ્યો હતો કે, તેમને જાનથી મારી નાખવાની, આંખો ફોડવાની ધમકી મળી રહી છે. પાકિસ્તાન છોડવા માટે કહેવામાં આવે છે.
પહેલા પણ ન્યાય માટે કરી હતી આજીજી
કહેવાય છે કે, મૃતક હિન્દુ વેપારી સતન લાલે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય અધિકારીઓ પાસે ન્યાય અપાવવા માગ કરી હતી. હિન્દુ વેપારીની હત્યાના વિરોધમાં મંગળવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય રાજમાર્ગને જામ કર્યો હતો. પોલીસે લાલની હત્યાના આરોપમાં સરગણા બચાલ દાહર અને તેમના સાથીઓની ધરપકડ કરી છે. આ અગાઉ ગુનેગારોને પકડવા માટે એજન્સીઓ પાસે દબાણ બનાવવાના પ્રયાસમાં સ્થાનિક લોકોએ ડહકારી પોલીસ સામે ધરણાં કર્યા હતાં.