ગુજરાતમાં પણ હવે લોકોને ગગનચૂંબી ઇમારતો જોવા મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં ગગનચૂંબી ઇમારતોને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી ટૂંક સમયમાં 70 માળની ઇમારત બનાવવા મંજૂરી અપાશે. સરકાર CGDCRમાં ફેરફાર કરી ઊંચી ઇમારતો બનાવવા મંજૂરી અપાશે. આ ગગનચૂંબી ઇમારતો માટે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મંજૂરી આપવામાં આવશે.
ગુજરાતમાં ગગનચુંબી ઇમારતો બનાવવા અપાશે મંજૂરી
CM વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
CGDCRમાં ફેરફાર કરી ઊંચી ઇમારતો બનાવવા અપાશે મંજૂરી
હવે ગુજરાતમાં પણ દુબઇ અને સિંગાપોરની જેવી ઊંચી ગગનચુંબી ઇમારતો બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં ગગનચુંબી ઇમારતો બનાવા મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાજ્યમાં હવે 70 માળની ઇમારતો બનાવા મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં પણ 70 માળની ઊંચી ઇમારત બનાવા મંજૂરી અપાશે. જેના માટે ખાસ કમિટી બનાવાશે. આ કમિટી ઊંચી ઇમારતોને મંજૂરી આપવા માટે નિયમો બનાવશે.
રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે
ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે.
વધુમાં આ જોગવાઇ D1 કેટેગરીના સત્તામંડળો જેમ કે AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે.
આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.
સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.
૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે.
૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર રહેશે.
૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર રહેશે.
મહત્તમ FSI પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની
FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર -ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે.
રહેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.