જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તમે પોતાની ડાયેટનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
હાઈ બીપીના દર્દી રાખો સ્વાસ્થ્યનું ધ્યાન
ફક્ત મીઠું નહીં આ વસ્તુઓ પણ ન ખાવ
જાણો કઈ કઈ વાતોનું રાખશો ધ્યાન
હાઈ બીપીના દર્દીને પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડે છે નહીં તો બીમારી વધી શકે છે અને હાર્ટ ડિઝિઝનો ખતરો વધી જાય છે. ભારતમાં શહેરની વસ્તીનો મોટો ભાગ હાઈપરટેન્શનનો શિકાર છે. જો તમે તેને સમય રહેતા કંટ્રોલ ન કરો તો તેના કારણે સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. માટે હાઈ બીપીના દર્દીને આ 5 વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
ખૂબ વધારે મીઠા અને સોડિયમ વાળી વસ્તુઓ
હાઈ બ્લડ પ્રેશરને વધારવા અને હૃદય રોગના ખતરા માટે સોડિયમને જવાબદાર માનવામાં આવે છે. કારણ કે આ લોહીમાં ફ્લૂઈડ બેલેન્સને પ્રભાવિત કરે છે તેમાં 40 ટકા સોડિયમ હોય છે. માટે એવા ભોજન જેમાં મીઠુ અને સોડિયમની માત્રા વધારે હોય છે તેને હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવું જોઈએ. ચિપ્સ, પિઝ્ઝા, સેન્ડવિચ, બ્રેડ અને રોલ્સ, કેન્ડ સૂપ, પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ વગેરે.
Cheese ખાવાનું પણ ટાળો
Cheese ભલે મિલ્ક પ્રોડક્ટ હોય જેમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી આવે છે પરંતુ તેમાં સોડિયમની માત્રા પણ વધારે હોય છે ચીઝની ફક્ત 2 સ્લાઈસમાં 512 મિલિગ્રામ સુધી સોડિયમ મળી આવે છે સાથે જ તેમાં સેચ્યુરેટેડ ફેટ પણ હોય છે. માટે Cheese ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બન્ને વધી શકે છે.
અથાણું ન ખાવું
કોઈ પણ એવું ફૂડ જેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરાખવું હોય તેમાં વધુ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કરવાથી ફૂડ લાંબા સમય સુધી ખાવા લાયક રહે છે. અથાણામાં રહેલા શાકભાજી જેટલા વધુ સમય સુધી મસાલા અને લિક્વિડમાં રહે છે તેમાં સોડિયમની માત્રા એટલી વધારે થઈ જાય છે.
ગળી વસ્તુઓ ઓછી ખાઓ
ફક્ત મીઠુ જ નહીં પરંતુ ખાંડ પણ તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે. રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ખાંડ, ખાસ કરીને ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરવાથી જાડાપણું વધે છે જે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. અમેરિકન હેલ્થ એસોસિએશનનો સુજાવ છે કે મહિલાઓએ રોજ 25 ગ્રામ અને પુરૂષોએ 36 ગ્રામથી વધારે ખાંડ ન ખાવી જોઈએ.
દારૂની આદત છોડો
ખૂબ વધારે આલ્કોહોલનું સેવ કરવાથી પણ બ્લડ પ્રેશર વધે છે. જો તમે પહેલાથી બ્લડ પ્રેશરના દર્દી છો તો ડોક્ટરને પુછ્યા વગર દારૂનું સેવન ન કરો. જે લોકોને હાઈપરટેન્શન નથી તે લોકો યોગ્ય પ્રમાણમાં ડોક્ટરની સલાહ પ્રમાણે આલ્કોહોલ પી શકે છે. આટલું જ નહીં હાઈ બીપીના દર્દી જો દારૂ પીવે તો તેમની બ્લડ પ્રેશરની દવાની અસર પણ ઓછી થાય છે.