ગુજરાત , રાજસ્થાન બાદ યુપીમાં તીડનું એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સરકાર દ્વારા અલીગઢનાં ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તીડનું ટોળું ઝડપી ઉત્તર પ્રદેશ પહોંચે તેવી શક્યતા છે. પહેલા ગુજરાત અને રાજસ્થાનમાં આ તીડને આંતક ફેલાવ્યો હતો. હવે ઉત્તર પ્રદેશ પર તેનું સંકટ તોળાઈ રહ્યું છે.
ગુજરાત,રાજસ્થાન બાદ યુપીમાં તીડનું અલર્ટ
તીડના આતંકને લઈને અલીગઢના ખેડૂતોને કરાયા અલર્ટ
પાકિસ્તાની તીડ હવે અલીગઢ પહોંચે તેવી શક્યતા
અલીગઢના ખેડૂતોને બચાવવા કેન્દ્ર સક્રિય
ઉત્તર પ્રદેશમાં તીડનો આતંક ફેલાય તેવી શક્યતાઓ છે . તીડના આતંકને લઈને અલીગઢના ખેડૂતોને અલર્ટ કરાયા છે. પાકિસ્તાની તીડ હવે અલીગઢ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. કેન્દ્રમ સરકારે ગુજરાત અને રાજસ્થાનની સ્થિતિથી ધડો લીધા બાદ ઉત્તર પ્રદેશની આ સમસ્યાને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ બની છે. કેન્દ્રિય કૃષિવિભાગની ટીમ આ સમસ્યાને પગલે સક્રિય થઈ છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે કવાયત હાથ ધરાઈ છે.
ગુજરાતમાં થયુ હતું આટલું નુકશાન
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ તીડથી ખેડૂતોને ભારે નુકસાન થઈ ચૂક્યું છે. ગુજરાતને વાંરવાર તીડના આતંકનો સામેનો કરવો પડ્યો હતો. કુલ 15 તાલુકાના 285 ગામમાં નુકસાન થયું છે. બનાસકાંઠાના 280 અને પાટણના 5 ગામમાં મોટું નુકસાન થયું છે. જેને લઊ પ્રતિ હેક્ટર રૂ.18500ની સહાય આપવામાં આવશે. બનાસકાંઠાના 24,472 હેક્ટરમાં નુકસાન થયું છે. જ્યારે પાટણ જિલ્લાના 5 ગામમાં 750 હેક્ટર નુકસાન થયું છે. ત્યારે કુલ 11 હજાર ખેડૂતોને સહાયનો લાભ આપવાના વાયદા સરકારે કર્યા હતા. જોકે ગુજરાતમાં નુકશાનીનો આંકડો વધારે હોવાની વાત સ્થાનિકોએ કરી હતી.